________________
૧૨૬
ખંભાતનાં જિનાલયો
૬૮. શ્રી ચંદ્રપ્રભુ ૬૯. શ્રી સામલા પાર્શ્વનાથ અસલ ભોવડ પાર્શ્વનાથ ૭૦. શ્રી શાંતિનાથ ૭૧. શ્રી નેમિનાથ
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં પણ ભોયરાપાડા વિસ્તારમાં ઉપર જણાવેલાં છ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પણ ભોંયરાપાડા વિસ્તારમાં ઉપર જણાવેલાં કુલ છ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે.
જ્યારે સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ભોંયરાપાડા વિસ્તારમાં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે પૈકી શાંતિનાથજી-નેમિનાથજીનું સંયુક્ત જિનાલય-દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શાંતિનાથ, મલ્લિનાથ, ચંદ્રપ્રભુ અને નવખંડા પાર્શ્વનાથનાં જિનાલયોનો સમાવેશ થાય છે. સં૧૬૭૩ તથા સં૧૭૦૧માં સામેલ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે જેનો સં૧૯૦૦માં “શ્રી સામલા પાર્શ્વનાથ અસલ ભાવડા પાર્શ્વનાથ” એ મુજબ ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૪૭માં “નવખંડા અથવા ભુવન પારસનાથજીનું એ મુજબ આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. સં૧૯૬૩માં આ જિનાલયનો ઉલ્લેખ સામેલ પાર્શ્વનાથ તરીકે થયેલો છે. જ્યારે સં. ૧૯૮૪માં આ જિનાલય નવખંડા પાર્શ્વનાથ તરીકે પ્રચલિત હતું. આજે પણ આ જિનાલય નવખંડા પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં પણ ભોંયરાપાડા વિસ્તારમાં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. જેમાં, ૧. શાંતિનાથ, ૨. મલ્લિનાથ, ૩. ચંદ્રપ્રભુ - સ્ફટિકનાં ૪. નવખંડા પાર્શ્વનાથ, ૫. શાંતિનાથ – એમ કુલ પાંચ જિનાલયોનો સમાવેશ થાય છે. જો કે તે સમયે શાંતિનાથે સાથે નેમિનાથજીના જિનાલયનો ઉલ્લેખ થયેલો નથી.
આજે ભોંયરાપાડા વિસ્તારમાં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન છે, જે નીચે મુજબ છે :
૧. શાંતિનાથ, ૨. શાંતિનાથ-નેમિનાથ, ૩. ચંદ્રપ્રભુસ્વામી, ૪. મલ્લિનાથ, ૫. નવખંડા પાર્શ્વનાથ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org