________________
ખંભાતનાં જિનાલયો
૧૨૫
લક્ષ્મીસૂરિ તથા આચાર્ય શ્રી વિજયસોમસૂરિના આરસનાં પગલાંની બે જોડ છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૭૦૧ પહેલાના સમયનું સ્પષ્ટ જણાય છે. મૂળનાયક શ્રી ધર્મનાથની પ્રતિમા પર સં૧૬૬રનો લેખ છે.
ભોયરાપાડો ખંભાતમાં આજે ભોયરાપાડા તરીકે પ્રસિદ્ધ વિસ્તાર અગાઉ ભુંઈરા પોલ- ભુંઅરઈ પાડો - ભોંયરાપાડો તરીકે પ્રસિદ્ધ હતો.
સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં ભુંઈરાપોલમાં (૧) ચંદ્રપ્રભ સ્વામી (૨) શાંતિનાથ (૩) સામલ પાર્શ્વનાથ એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
ભુંઈરા કેરી પોલિ ભલેરી, ત્રણે પ્રાસાદઈ ભુંગલ ભેરી, કીરતિન કરું યન કેરી, હો / ૭ શ્રી ચંદ્રપ્રભનઈ દેહરઈ દી સઈ, અઢાર બંબ દેવી મન હીંસઈ, શાંતિનાથ જયન વસઈ, હો || ૮ ધૂણઈ દેહરું જગવિખ્યાત, બઈઠાં સાંમલ પારસનાથ,
પનર બંબ તસ સાથિ, હો ! ૯ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં ભોંયરાપાડામાં ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
મુંઅરઈ પાડઈ શાંતિ મૂરતિ બાવન જિન શુ ગાજએ છસઈ બત્રીસ શાંતિનાથિ સાતસઈ એકવીસ સાંમલઉ
સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં ભોંયરાપાડા વિસ્તારમાં કુલ છ જિનાલયો વિદ્યમાન હતાં જેનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે :
અથ શ્રાપાડામાં દેહરાં ૬૬૬. શ્રી શાંતિનાથનું દેહરુ ૬૭. શ્રી મલ્લીનાથ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org