SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ નવ જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે. માણેકચોકના મહેલ્લામાં ૭૦. ધરમનાથજીનું ૭૧. મહાવીરસ્વામીનું ૭૨. શાંતિનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય માણેકચોક વિસ્તારમાં ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી અને પાષાણની પ્રતિમાજીઓની સંખ્યા તેર હતી. ખંભાતનાં જિનાલયો સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્ય પરિપાટીમાં આ જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે અને વહીવટ કેશવલાલ મૂલચંદ હસ્તક હતો. તેઓ જિનાલયની નજીકમાં જ રહેતા હતા. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં આવેલા ધર્મનાથજીના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી હતી અને તે સમયે જિનાલયનો વહીવટ કેશવલાલ મૂળચંદ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ માણેકચોકમાં જ રહેતા શ્રી પ્રવીણચંદ્ર બાલચંદ કાપડિયા કરે છે. આ જિનાલયનો છેલ્લો જીર્ણોદ્ધાર સં૰ ૨૦૫૧માં વૈશાખ સુદ દશમને બુધવારે થયેલો છે. આ અંગેનો લેખ જિનાલયના ચોકમાં આપણી જમણી બાજુની ભીંત પર કાચની ફ્રેમમાં મઢી દેવામાં આવ્યો છે, જે લેખ આ ગ્રંથનાં પ્રકરણ-૧૩માં મૂકવામાં આવેલ છે. તે અગાઉ સં ૧૯૯૭માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ જૈન તીર્થધામ ખંભાત ગ્રંથમાં પૃ ૭૭ની છેલ્લી લીટીમાં થયેલો છે. ઉપરાંત, સં ૨૦૪૪ સુધી આ જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી તે મુજબનો ઉલ્લેખ પણ જૈન તીર્થધામ ખંભાતમાં થયેલો છે. રંગમંડપ સ્વચ્છ અને મધ્યમ કદનો છે. રંગમંડપમાં થાંભલા કાષ્ઠના છે. રંગમંડપમાં પ્રવેશવાનાં કુલ ત્રણ પ્રવેશદ્વાર છે. અહીં ગભારામાં મૂળનાયક તરીકે શ્રી ધર્મનાથજીની અષ્ટપ્રતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમાજી બિરાજમાન છે. ગભારામાં મૂળનાયકની જમણી બાજુની દીવાલમાં ગોખની રચના છે. આ ગોખમાં ગણધરની પાષાણની ત્રણ મૂર્તિઓ સં૰ ૨૦૫૧ને વૈશાખ સુદ ૧૦ને બુધવારે અંબાલાલ હેમચંદ શાહના પરિવારને હસ્તે ભરાવેલ છે. આ ત્રણેય ગણધર (૧) ગૌતમસ્વામી (૨) પુંડરીકસ્વામી (૩) સુધર્માસ્વામીની મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી વિજય મહોદયસૂરિજીના હસ્તે થયેલી છે. ગભારામાં પાષાણની કુલ અઢાર પ્રતિમાજીઓ વિદ્યમાન છે. અહીં આચાર્ય શ્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy