SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો માણેકચોક) વિસ્તાર પહેલાં ભંડારીપોળ તથા વાસુપૂજ્ય સ્વામીના જિનાલયનો ઉલ્લેખ આવે છે જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : ૧૨૦ આહે ભંડારીની પોલિમાં, દેઉલ એક જ સોહઈ । આહે વાસપૂજય નવ થંબશુ, તે દીઠઈ મન મોહઈ ॥ ૩૬ . આ ભંડારીની પોળ તે સમયે આજના માણેકચોક વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં જ હતી તેવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. માણેકચોકમાં આજે વિદ્યમાન વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા ઉપ૨ સં. ૧૬૬૭નો લેખ છે. સં. ૧૬૭૩માં નિર્દેશ થયેલા ભંડારીપોળના વાસુપૂજ્ય સ્વામીના જિનાલયના મૂળનાયકની પ્રતિમા અને આજના માણેકચોકના વાસુપૂજ્યસ્વામીના મૂળનાયકની પ્રતિમા બંને એક જ હશે કે કેમ તે અંગે વધુ સંશોધન જરૂરી છે. માણેકચોક વિસ્તારમાં વાસૂપૂજ્ય સ્વામીના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પ્રાપ્ત થાય છે. તે સમયે જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું હતું. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી અને પાષાણની ચાર પ્રતિમાજીઓ આ જિનાલયમાં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં જ વાસુપૂજ્ય સ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. ઉપરાંત પૃ. ૪૭ ઉપર આ જિનાલય માટે નીચે મુજબની નોંધ આવે છે : “ત્યાંથી (ભોંયરાવાળા ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયથી) ખાંચામાં ઊંડાણમાં જતાં શાંતિનાથ તથા વાસુપૂજ્યનાં બે જિનાલયો જોડા-જોડ આવે છે.” આ જિનાલયનો વહીવટ તે સમયે લાડવાડામાં રહેતાં ગુલાબચંદ ઓશવાળ હસ્તક હતો. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં આવેલા શ્રી વાસુપૂજ્ય સ્વામીના જિનાલયને ધાબાબંધ જિનાલય તરીકે દર્શાવવામાં આવેલું છે. તે સમયે જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. જિનાલયનો વહીવટ શેઠ શાંતિલાલ ગુલાબચંદ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ લાડવાડામાં રહેતા શ્રી ભરતભાઈ ચીમનલાલ શાહ કરે છે. શ્રી શાંતિનાથજીના જિનાલયના રંગમંડપમાંથી પણ વાસુપૂજ્ય સ્વામીના જિનાલયના રંગમંડપમાં પ્રવેશી શકાય છે. જિનાલયની રચના સાદી છે. જાણે કોઈ ઘરમાં પ્રવેશતાં હોઈએ તેવો ભાસ થાય છે. અહીં ગભારામાં પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન છે. સં. ૧૯૬૩, સં. ૧૯૮૪ તથા સં ૨૦૧૦માં આ જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. જ્યારે આજે અહીં પાષાણ પ્રતિમાની સંખ્યા નવ છે. એટલે કે દરમ્યાનમાં પુનઃ પ્રતિષ્ઠા થઈ હશે. આજે પણ જૂના ત્રણ ભગવાનની વર્ષગાંઠ શ્રાવણ સુદ તેરસ છે. જ્યારે બાકીના છ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy