________________
૧૧૮
ખંભાતનાં જિનાલયો
અથ લાડવાડામાં દેહરાં ૬૭૨.શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ આદા સંઘવીનું દેરું
૭૬. શ્રી શાંતિનાથ ચંદ્રદાસ સોનીનું દેહરું, દક્ષણ સન્મષ ૭૭.શ્રી ધરમનાથનું દેહ આજે પણ આ જિનાલયના મૂળનાયકની પ્રતિમા દક્ષિણ સન્મુખ છે.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ માણેકચોક વિસ્તારમાં ક્રમાંક ૭૨માં થયેલો છે જે નીચે મુજબ છે :
માણેકચોક મેહેલ્લામાં ૭૦. ધરમનાથજીનું. ૭૧.મહાવીર સ્વામીનું. ૭૨. શાંતીનાથજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માણેકચોક નજીક વિસ્તારમાં આવેલા શાંતિનાથજીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની એકત્રીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયની સ્થિતિ સાધારણ હતી,
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં આવેલા શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની ચૌદ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. પૃ. ૪૭ ઉપર આ જિનાલય અંગેની નીચે મુજબની નોંધ પ્રાપ્ત થાય છે.
“ત્યાંથી (ભોંયરાવાળા ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયથી) ખાંચાના ઊંડાણમાં જતાં શાંતિનાથ તથા વાસુપૂજયનાં જિનાલયો જોડાજોડ આવે છે. આ જિનાલયનો વહીવટ જિનાલયની નજીક વસતાં પટવા જીવાભાઈ મૂળચંદ રાખે છે.”
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં આવેલા શાંતિનાથજીના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવેલું છે. તે સમયે પાષાણની અગિયાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. તે સમયે આ જિનાલયનો વહીવટ ઠાકોરલાલ જીવાભાઈ પટવા હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ કાંતિભાઈ ઠાકોરભાઈ પટવા તથા બાબુભાઈ ઠાકોરભાઈ પટવા કરે છે.
સં. ૧૯૬૩માં જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી જ્યારે સં. ૨૦૧૦માં જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી છે. એટલે કે સં. ૧૯૬૩ થી સં. ૨૦૧૦ વચ્ચે આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોવાનો સંભવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org