________________
ખંભાતનાં જિનાલયો
૧૧૭
એક શનિના પ્રતિમાજીનો ઉલ્લેખ છે, જે આજે પણ છે. જિનાલય બંધાવનારનું નામ શેઠ સોમચંદ પોપટલાલ અને સં. ૨૦૦૧નો પણ તે સમયે નિર્દેશ કરવામાં આવેલો છે.
ટૂંકમાં આ ઘરદેરાસરનો સમય સં. ૨૦૦૧ છે. માંડવીની પોળમાં કદાચ તે સં. ૧૬૬૧માં વિજયસેનસૂરિના હસ્તે પ્રતિષ્ઠિત થયું હશે એવું જિનાલયના છૂટા શિલાલેખના છૂટક વંચાતા અક્ષરો પરથી કહી શકાય. જો કે આ અંગે વિશેષ સંશોધનની જરૂર છે.
માણેકચોક
શાંતિનાથ (સં. ૧૬૪૩) માણેકચોક વિસ્તારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરાયુક્ત (ભોંયરામાં-આદિનાથ) જિનાલયની બાજુમાં બે-એક ઘર છોડીને ખૂણામાં શ્રી શાંતિનાથ તથા શ્રી વાસુપૂજયસ્વામીનાં પાસ-પાસે ધાબાબંધી જિનાલયો આવેલાં છે.
સં. ૧૯૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સાત મહીઆની પોળ વિસ્તારના નામ સાથે શાંતિનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે:
સાહ મહીઆની પોલિ વખાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણું,
ખુણઈ શાંતિનાથ યગદીશ, તિહાં દિન પ્રતિમા છઈ ઈકવીસ, નીતિ નામું સીસ, હો ! ૪ મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા પરના લેખમાં નીચે મુજબનું લખાણ વંચાય છે :
“સંવત ૧૬૪૩ વર્ષે જેષ્ઠ સુદિ ૨ સોમે. પુરિ રાણી પુત્રી હીરાસ્ય શ્રેયસે શ્રી શાંતિનાથ બિંબ કારાપિતાઃ શ્રીમદ્ વિજય.... શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિષ્ઠિતઃ ”
સં. ૧૭૦૧માં મહિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ માણિકચકિપોલિમાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
માણિકચઉકપોલિ ઋષભમંદિરિ એકસુ છપ્પન સાંભલઉ ૧૬
ભુંઈરઈ એકત્રીસ આદિ સહીત મલ્લિ સતાવન ગુણઘણાં શાંતિ ભુવન ચૌદહ ધર્મ પન્નર....
સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં લાડવાડા વિસ્તારમાં દર્શાવવામાં આવેલાં છ જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૬માં નીચે મુજબ પ્રાપ્ત થાય છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org