________________
૧૧૬
ખંભાતનાં જિનાલયો
માણેકચોક રતનચિંતામણિ પાર્શ્વનાથ-ઘરદેરાસર (સં. ૨૦૦૧) માણેકચોકમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના બાવન જિનાલયની ડાબી બાજુની એક ખડકીમાં રતન ચિંતામણિ પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે. જિનાલય ઘરમાં નથી. પરંતુ અલગ છે. આ ઘરદેરાસરમાં ગભારો અને રંગમંડપ બંનેની રચના છે.
ખંભાતના શેઠ શ્રી સોમચંદભાઈ પોપટલાલના પત્ની બેનકોરબેનનું પિયર માણેકચોકમાં અને સાસરું માંડવીની પોળમાં હતું. સાસરામાં પોતાના ઘરનું ઘરદેરાસર હતું. તેમાં શ્રી રતન ચિંતામણિ પાર્શ્વનાથ મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત હતા. પિયર પક્ષમાં તેઓ એકના એક દીકરી હતા. તેમનું પિયર માણેકચોકમાં હતું. તેઓને પિયરનું ઘર રહેવા માટે મળતાં તેઓ માણેકચોકમાં રહેવા આવ્યાં અને અહીં ઘરદેરાસર બાંધી સાસરીના તે જ રતન ચિંતામણિ પાર્શ્વનાથને અહીં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કર્યા.
આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૦૧ના માગશર સુદિ દશમને શનિવારના રોજ તપાગચ્છાધિપતિ ભટ્ટા. આ. મહારાજાધિરાજ શ્રી વિજયનેમસૂરીશ્વરજી મહારાજ સાહેબશ્રીના વરદ હસ્તે થઈ હતી. પ્રતિષ્ઠા અંગેનો એક લેખ જિનાલયમાં મુખ્ય પ્રવેશદ્વારની અંદરની બાજુએ દીવાલ પર લખેલો છે. અહીં ગર્ભદ્વારની ઉપરની બાજુએ અનુક્રમે ગિરનારજી, શત્રુંજય, સમેતશિખર જેવા પટ ભીંત પર પથ્થર વડે ઉપસાવેલ છે. તેમાં સોનેરી શાહીનો ઉપયોગ કર્યો હોવાથી ઘણું આકર્ષક લાગે છે.
મૂળનાયક શ્રી રતનચિંતામણી પાર્શ્વનાથ ધાતુના સુંદર પરિકરમાં બિરાજે છે. તેમની ગાદી પર “સં. ૧૬૮૧ ફાગણ સુદ ૧૦ કડુઆ મતે સા અમીઆ સુત... શ્રી રતન પાર્શ્વનાથ બિંબ પ્રતિષ્ઠામિ શ્રાવકેણ સા | શ્રી તેજપાલન પ્રતિષ્ઠિતમ્ ” જેવા શબ્દો વંચાય છે.
મૂળનાયકના પરિકર પર સં૨૦૦૪ના ઉલ્લેખવાળો લેખ છે. આ ઉપરાંત અહીં આરસના એક છૂટા પથ્થરમાં નાનો લેખ જોવા મળ્યો હતો જેમાં સં. ૧૬૬૧ વૈ. સુ. ૭ સોમ વણિક તેજપાલ તથા વિજયસેનસૂરિ વગેરે શબ્દો વંચાય છે. લેખ ઘસાયેલો હોવાથી પૂરેપૂરો વંચાતો નથી.
મૂળનાયકની આજુબાજુ સ્ફટિકની પ્રતિમાઓ છે. મૂળનાયકની એક બાજુ શનિની સ્ફટિકની મૂર્તિ છે, જે મુનિસુવ્રત સ્વામીની છે. જ્યારે બીજી બાજુ ચંદ્રપ્રભુની સ્ફટિકની પ્રતિમા છે. મૂળનાયકની આજુબાજુના બંને સ્ફટિકના પ્રતિમાજી આરસના સમવસરણની રચના પર બિરાજેલ છે. અહીં ધાતુની કુલ સાત પ્રતિમાજીઓ છે. ઉપરાંત એક દેવીની ધાતુ પ્રતિમા છે જેને તેઓ પદ્માવતી દેવી તરીકે ઓળખાવે છે. (જો કે તે અંગે વધુ સંશોધનની જરૂર છે.)
સં. ૨૦૧૦માં પ્રગટ થયેલ જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઘરદેરાસર તરીકે ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ જિનાલયમાં ધાતુની ચાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે, જે પૈકી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org