________________
ખંભાતનાં જિનાલયો
૧૧૫
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં જણાવ્યા મુજબ તે સમયે આદેશ્વરજીના ભોંયરામાં જૂના અવશેષો પણ છે તેવો ઉલ્લેખ મળે છે. અમે જિનાલયની મુલાકાત લીધી હતી ત્યારે આ જિનાલયનો એક લેખ જૈનશાળામાં પડ્યો હોવાનું જાણ્યું હતું. આ લેખ નીચે પ્રમાણે છે :
૩ૐ નમઃ સિદ્ધ / શ્રી ગૌતમાય નમઃ | સ્વસ્તિ શ્રીમદ્ નૃપ વિક્રમાર્ક સમયાત સંવત ૧૬ ૨૮ વર્ષે શાક ૧૪૮૪ પ્રવર્તમાન અષાઢ માસે શુકલ પક્ષે દશમ્યાન તિથ્ય ભૃગુવાસરે સ્વાતિ નક્ષત્રે શ્રીમતી સ્તંભતીર્થ નગરે શ્રીમત તપાગણ ગગનાંગણ નભાઈ સકલ સુવિહિત શિરોમણી ભટ્ટારક પૂરંદર પરમ ગુરૂ શ્રી૭ હીરવિજય સૂરિ ચરણાભોજ ભંગાયમાન સકલ સંઘ સમુદાયન શ્રીમદાદિદે વાઘનેક પ્રતિમાધિષ્ઠા સ્થાન તથા કારિતમિદં ભૂમિગૃહ માં ચંદ્રાકનંદતાદિતિભ ઈમ્ શુભ ભવતુ સૂત્રધાર ગણેશન ક્રિયHસ્મ / ભૂમિકેય ચ સૂરિણાગોત્રિય સંઘવી વિદ્યાધર ભાઈ આસક તાતસ્તયોરેત તદુઘમ કહ્ન સાહ ! વચ્છ દોસી વિજયકરણ યોગ્ય ભૂયો ભદ્ર ભૂયાદિતિજીયા.......... ચિરમિદ ભૂમિગૃહ ગુણગુણોદય ! ”
પ્રસ્તુત લેખ સં. ૧૬૨૮માં પ્રતિષ્ઠિત શ્રી હીરવિજયજીના પગલાં પરનો હોય તેવું વિદિત થાય છે.
મૂળનાયક શ્રી આદેશ્વરજીની ભવ્ય પ્રતિમાના દર્શનથી હૃદય આનંદોલ્લાસ અનુભવે છે.
આ જિનાલય અંગે એક રસપ્રદ ઘટના દર વર્ષે નિયમિત બને છે. વર્ષો પૂર્વે સુરતવાળા શ્રી તારાચંદ સંઘવી સંઘ લઈને ખંભાત આવેલા. ભોંયરાના આદેશ્વર દાદાની ભાદરવા વદ દશમના રોજ પૂજા ભણાવી શકાય તે માટે તે સમયે તેઓએ રકમ મૂકેલી. વર્ષો બાદ મોંઘવારી વધતી જ ગઈ. હવે તે રકમમાંથી પૂજા ભણાવી શકાય તેમ રહ્યું નહીં. ખડકીની બહેનોએ આ પરંપરા ચાલુ રાખવાની જાણે પોતાની જવાબદારી હોય તેમ દર વર્ષે તે બહેનો ઘેર-ઘેર ફરે છે અને આ માટેનો ફાળો ઉઘરાવે છે. ફાળાની તે રકમમાંથી પૂજા ભણાવાય છે. નવ્વાણું દીવાની રોશની થાય છે. ઉત્સાહભેર ફાળો ઉઘરાવી આજે પણ આ માણેકચોકની બહેનો તારાચંદ સંઘવીની મંગલ ભાવનાને પુષ્ટિ આપે છે.
ટૂંકમાં ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય સં૧૯૬૧ના સમયનું તથા ભોંયરાના આદિનાથ ભગવાનનું જિનાલય સં. ૧૬૫૯ના સમયનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org