SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો નં ૨૩ શ્રી શાંતિનાથજીના પ્રતિમાના પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં સં ૧૩૪૫નો ઉલ્લેખ છે જે નીચે પ્રમાણે છે : ‘‘સં. ૧૩૪૫ વર્ષે લૌકિક શ્રાવણ વદિ ૧૩ ૨વૌ શ્રી ખંડેરકગચ્છે શ્રી યશોભદ્રસૂરિસંતાને સો રતન સૌ રાજા રયપાલ ભા૰ કૂરા ભણસાલિણિ કૂરદેવિ શ્રેયાર્થં શ્રીશાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી શાલિસૂરિભિઃ । ,, નં ૨૬ શ્રી પદ્મપ્રભુસ્વામીની પ્રતિમાજીના પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં સં. ૧૨૨૩ના ઉલ્લેખવાળો લેખ છે. ૧૦૯ નં ૨૯ શ્રી શાંતિનાથજીની પ્રતિમાજીના સિંહાસનના નીચેના ભાગમાં સં ૧૩૦૭નો ઉલ્લેખ ધરાવતો લેખ છે જે નીચે પ્રમાણે છે : ‘‘સંવત ૧૩૦૭ વર્ષે વૈશાખ સુદિ ૫ ૨ૌ શ્રી ખંડેરકગચ્છે શ્રી યશોભદ્રસૂરિ સંતાને પલ્લીવાલ જ્ઞાતિય સો૰ સામંત પુત્ર સો આસચન્દ્ર ભાર્યા લલિતાદેવ્યા આત્મપુણ્યાર્થે શ્રી શાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી ઇશ્વરસૂરિભિઃ ।'' નં ૩૨ શ્રી આદિનાથજી તથા નં ૩૫ શ્રી કુંથુનાથજીની પ્રતિમાના પરિકરના સિંહાસનની નીચેના ભાગમાં પણ સં. ૧૨૫૨નો લેખ છે. આ પ્રતિમાઓ પૈકી કેટલીક પ્રતિમાઓની પરિકરના સિંહાસનના નીચેના ભાગમાં કોતરેલ લેખો પરથી પ્રતીત થાય છે કે વસ્તુપાલ-તેજપાલના સમયના સંડેરક (હાલનું સંડેર તાલુકો-પાટણ જિલ્લો-મહેસાણા) ગચ્છના આ૰ શ્રી યશોભદ્ર સૂરિના શિષ્યો શાંતિસૂરિ, સુમતિસૂરિ વગેરેએ પ્રતિષ્ઠિત કરેલા ઘણાં જિનબિંબો અહીં છે. સં ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સાહા મહીઆની પોળમાં `પાંચ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ થયેલો છે, જે પૈકી આજના માણેકચોક વિસ્તારમાં મલ્લિનાથજીના જિનાલય સિવાયના બાકીનાં ચા૨ જિનાલયો વિદ્યમાન છે. ગભારામાં મૂળનાયક તરીકે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની અષ્ટ પ્રાતિહાર્ય પરિકરયુક્ત અલૌકિક પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયકની પ્રતિમાજી ૫૨ ‘‘અલાઈ ૪( )....પ્રાગ્વાટ જ્ઞાતિય ધનાઈ પુત્ર.....''એટલા શબ્દો ઉકેલી શકાયા છે. પછીના અક્ષરો લેપ કરેલ પટ્ટામાં જતાં રહેતાં હોવાથી વાંચી શકાતા નથી. પ્રતિમાજીના પરિકરના બે કાઉસ્સગિયા પૈકી એક કાઉસ્સગિયા નીચે શ્રી સોમચિંતામણિ પરિકર શ્રી નેમિનાથ બિંબં” અને બીજા કાઉસ્સગ્ગ નીચે ‘શ્રીસોમચિંતામણિ પરિકર શ્રી વર્ધમાન જિનપતિ બિંબ” નું લખાણ છે. મૂળનાયકની પ્રતિમાના પબાસન પર નીચે પ્રમાણે લેખ છેઃ C ‘‘સં. ૧૬૬૮ વર્ષે...સુદિ ૨ શનૈ શા. જસરાજ કારિતા ચૈત્યે શ્રી સોમચિંતામણિ પરિકર પ્રત૰ શ્રી વિજયસેનસૂરિભિઃ” ગભારામાં પાષાણની કુલ સત્તર પ્રતિમાજીઓ બિરાજમાન છે. તથા રંગમંડપમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy