________________
૧૦૬
ખંભાતનાં જિનાલયો
૭૦. ધરમનાથજીનું
૭૪. ચિંતામણિ પારસનાથજીનું (ભુંઈરામાં રીખવદેવસ્વામી) ૭૫. ચિંતામણિ પારસનાથજીનું ૭૬. આદીનાથજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય ધાબાબંધ જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યુ હતું. તે સમયે આ જિનાલય શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના નામથી ઓળખાતું હતું. મકાનની સ્થિતિ જીર્ણ હતી. અહીં પાષાણની એકવીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોકમાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત પૃ. ૪૭ પર નીચે મુજબની નોંધ આવે છે :
...ભોંયરાના ચિંતામણિ પાર્શ્વનાથના દહેરાં સામે આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના કમ્પાઉન્ડવાળા દહેરામાં જવું. આમાં ભોંયરું છે. વહીવટ જેચંદ દીપચંદના પુત્ર હસ્તક છે. જે નજીકમાં જ રહે છે.”
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચિંતામણિ પાર્શ્વનાથના આ જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવ્યું છે. પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ તે સમયે સારી દર્શાવવામાં આવી હતી. જિનાલયનો વહીવટ શેઠ ચીમનલાલ મોતીલાલના હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ મુંબઈ નિવાસી શ્રી તારાચંદ અંબાલાલ શાહ, શ્રી બિપીનચંદ્ર કેસરીચંદ ઝવેરી, શ્રી રમણલાલ ફકીરચંદ શાહ અને ખંભાત નિવાસી શ્રી કાંતિલાલ સોમચંદ શાહ, શ્રી પ્રવીણચંદ્ર નગીનદાસ શાહ તથા શ્રી ચીમનલાલ મોતીલાલ શાહ કરે છે.
પૂર્વે આ જિનાલયના ભોંયરામાં કવિ શ્રી ઋષભદાસના ઘરદેરાસરમાંનું મનાતું આશરે ૪૦૦ વર્ષ જૂનું અગરતગરના લાકડાનું પરિકર મૂકવામાં આવ્યું હતું. આજે આ પરિકર આ જિનાલયની જમણી બાજુની ગલીમાં આવેલ જિનાલયમાં શંખેશ્વર પાર્શ્વનાથના પરિકર તરીકે છે. હવે ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ભોંયરામાં કશું નથી, તે ખાલી છે.
જિનાલયના પ્રવેશવાના મુખ્ય નાના જાળીવાળા ઝાંપા પાસે બે હાથીઓની અંબાડી ઉપર ભગવાનનાં શિલ્પો છે. જિનાલયના રંગમંડપમાં પ્રવેશવાના મુખ્ય ત્રણ દ્વાર છે. રંગમંડપની બહારની દીવાલે ડાબી બાજુ એક શિલાલેખ કાચની ફ્રેમમાં મઢેલો છે. આ જિનાલયના જીર્ણોદ્ધાર, પુનઃ પ્રતિષ્ઠા વર્ષગાંઠ તેમજ આચાર્ય ભગવંતોના ઉલ્લેખ તે લેખમાં કરેલ છે. આ ગ્રંથના પ્રકરણ-૧૩માં તેને મૂકવામાં આવેલ છે.
જૈન તીર્થધામ ખંભાત ગ્રંથમાં ડૉ. જે. પી. અમીન પૃ. ૬૭ ઉપર નીચે મુજબની માહિતી આપે છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org