SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો જમીનમાંથી ખોદકામ કરતાં મલ્લિનાથ ચૈત્યની બાવન પ્રતિમાઓની સાથે મળી આવ્યા હતાં, જે પૈકી ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થંકર ભગવાનના પટ પર નીચે મુજબનો લેખ છે : ૧૦૪ ‘‘સં ૧૨૮૦ વૈશાખ સુદી ૧૫ શ્રીમદ્ યશોવીર ..મલ્લિનાથ.... પુત્ર દેવધર શ્રી મહાત્યામા ભાર્યા માતૃ યશદેવી શ્રેયાર્થે પ્રત્યાધિક શતંકારીતા પ્રતિબિંબં શાંતિ સૂરિષ્ઠ પટમાં ડાબી બાજુ યશદેવી અને જમણી બાજુ યશોવીરની પ્રતિમા છે. ઉપરાંત પટમાં મધ્યે બિરાજમાન ભગવાન પર પણ એક લેખ છે. બીજો ૨૪ તીર્થંક૨ માતાનો પટ છે. તેમાંના લેખમાંથી ‘‘સં ૧૨૧૦ ફાગણ સુદી ૭ શ્રી યશોભદ્રસૂરિ સંતાને શ્રી મલ્લિજિન...પ્રેમચંદ્રસૂરિ શિષ્ય હેમચંદ્રસૂરિ પ્રતિષ્ઠિતઃ” જેવા શબ્દો ઉકેલી શકાય છે. રંગમંડપની જમણી બાજુ ગર્ભદ્વાર પાસેથી એક બારણાં દ્વારા બીજા રૂમમાં જઈ શકાય છે. જ્યાં આરસની છત્રીમાં શ્રી પદ્માવતી દેવીની મૂર્તિના દર્શન થાય છે. પદ્માવતી દેવીની મૂર્તિ ૨૭ ઇંચની છે. મૂર્તિ મનોહારી છે. માણેકચોક નિવાસી, સુવિખ્યાત કવિ તથા જગદ્ગુરુ હીરવિજયસૂરિના પરમ શ્રાવક શ્રી ઋષભદેવ શેઠના ઘરમાં કાષ્ઠકલાયુક્ત નયનરમ્ય ઘરદેરાસર હતું. હાલ આ ઘરદેરાસરમાંના પ્રતિમાજીઓ ક્યાં છે એની કોઈ માહિતી નથી. પણ આ જિનાલયના અગરતગરના લાકડાની કોતરણીવાળું પરિકર અગાઉ માણેકચોકના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના બાવન જિનાલયના ભોંયરામાં પધરાવવામાં આવ્યું હતું અને સં ૨૦૪૩માં અગરતગરના બેનમૂન કાષ્ઠકોતરણીયુક્ત જિનાલયને અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. અહીં ગભારામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા અગરતગરના લાકડાની કોતરણી યુક્ત છત્રીમાં બિરાજે છે. આ કોરણી જિનાલયને ભવ્ય બનાવે છે. તેના નાના-મોટા થઈને આશરે ૮૦૦ ભાગોને ફેવીકોલ કે ખીલીના ઉપયોગ વિના તે સમયે જોડવામાં આવ્યા છે એ એની વિશિષ્ટતા છે. તેના પર નંદી, હાથી, સિંહની આકૃતિઓ કંડારેલી છે. તેના ઉપરના ભાગે ઘૂઘરાના આકારની સેર લટકાવેલ છે. તેના ઉપર મોર તથા પોપટની આકૃતિ છે. તેના ઉપરના પટમાં મધ્યભાગે બાજોઠ પર દેવીની ચતુર્ભુજ આકૃતિ છે. તેની બંને બાજુ હાથીની આકૃતિ કંડારેલી જોવા મળે છે. આ હાથીઓની બંને બાજુ દેવીઓની આકૃતિઓ છે. તેના ઉપરના ભાગે તોરણ છે. જેના ખૂણા બીડેલા પદ્મથી વિભૂષિત છે. તોરણની મધ્યે દેવીની ચતુર્ભુજ આકૃતિ છે. તેના ઉપરના બંને હાથમાં અનુક્રમે ગદા તથા અંકુશ અને નીચેના બંને હાથમાં અનુક્રમે અક્ષમાલા અને કમંડલ છે. તેમનું વાહન પોપટ છે. આ દેવીની બંને બાજુએ ચામરધારિણી છે. તોરણના બંને છેડે બે દેવીઓ છે. તોરણના ઉપરના ભાગમાં વાઘઘટોનાં શિલ્પો અલંકૃત થયેલા જોવા મળે છે. ટૂંકમાં, ગુજરાતભરમાં વિરલ કહી શકાય એવું કલાત્મક કાષ્ઠ કોતરણીવાળું, એક સમયે કવિ શ્રી ઋષભદાસનું ગૃહદેરાસર અને આજે શંખેશ્વર પાર્શ્વનાથનું આ જિનાલય ખંભાતની અનુપમ શોભા છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy