SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૧૦૧ વિસ્તારમાં ઝવેરીની ખડકીમાં વિદ્યમાન છે. શાંતિનાથનું ઘરદેરાસર ખારવાડા વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામી જિનાલયની સામે વિદ્યમાન છે. રત્ન પાર્શ્વનાથનું ઘરદેરાસર માણેકચોકમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયની ડાબી બાજુની ખડકીમાં ખૂણામાં આવેલું છે. બાકીનાં સાત જિનાલયો (૧) આદિનાથ (૨) ચિંતામણિ પાર્શ્વનાથ (૩) ચિંતામણિ પાર્શ્વનાથ (૪) શાંતિનાથ (૫) વાસુપૂજય (૬) ધર્મનાથ (૭) મહાવીર સ્વામી– આજે પણ માણેકચોક વિસ્તારમાં વિદ્યમાન છે. સં. ૨૦૫૫માં એટલે કે આજે માણેકચોક વિસ્તારમાં કુલ નવ જિનાલયો વિદ્યમાન છે, જે નીચે મુજબ છે : (૧) આદેશ્વર (૨) શંખેશ્વર પાર્શ્વનાથ (૩) ચિંતામણિ પાર્શ્વનાથ (૪) ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરામાં આદેશ્વર (૫) શાંતિનાથ (૬) વાસુપૂજય સ્વામી (૭) રત્નચિંતામણિ પાર્શ્વનાથ ઘરદેરાસર (૮) ધર્મનાથ (૯) મહાવીર સ્વામી. માણેકચોક-સ્કૂલ સામે આદિનાથ (સં. ૧૯૭૩ પહેલાં) માણેકચોક વિસ્તારમાં પ્રવેશતાં જ ડાબી બાજુ આદિનાથ ભગવાનનું ધાબાબંધી જિનાલય આવેલું છે. સં. ૧૬૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં માણેકચોક વિસ્તારને સાહ મહીઆની પોળના નામે ઓળખવામાં આવી છે. તે સમયે આ વિસ્તારમાં પાંચ જિનાલયો વિદ્યમાન હતા. તે પૈકી આદિનાથજીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છેઃ સાહા મહઆની પોલિ વખાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણે, • • • • • • • • • • • • • • • • • • આગલિ દેહરિ રિષભ નિણંદ, પરદખ્યણ દેતાં આનંદ, - સાઠિ બંબ સુખકંદ હો સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં માણેકચોકના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : માણેકચકિપોલિ ઋષભ મંદિરિ એકસુ છપ્પન સાંભલઉ ૧૬ સં. ૧૯૦૦માં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૩માં થયો છે જે નીચે પ્રમાણે છે. અથ લાડવાડામાં દેહરાં ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy