________________
૧OO
ખંભાતનાં જિનાલયો
૭૬. શ્રી શાંતિનાથ- ચંદ્રદાસનું દેરું ૭૭. શ્રી ધર્મનાથનું દેરું
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખંભાતમાં તે સમયે વિદ્યમાન જિનાલયો પૈકી માણેકચોક વિસ્તારમાં નીચે મુજબના જિનાલયો વિદ્યમાન હતાં.
માણેકચોક મેહેલ્લામાં ૭૦. ધરમનાથજીનું. ૭૧. મહાવીર સ્વામીનું. ૭૨. શાંતિનાથજીનું. ૭૩. શીતલનાથજીનું. ૭૪. ચિંતામણિ પારસનાથજીનું (ભુંયરામાં રીષવદેવસ્વામી) ૭૫. ચિંતામણિ પારસનાથજીનું. ૭૬. આદીનાથજીનું. આ ૭૭. અભિનંદન સ્વામીનું ૭૮. ચંદ્રપ્રભુસ્વામીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માણેકચોક નજીક વિસ્તારમાં ચાર જિનાલયો ઉપરાંત માણેકચોક વિસ્તારમાં ચાર જિનાલયો એમ કુલ આઠ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. માણેકચોક નજીક વિસ્તારનાં ચાર જિનાલયો પૈકી એક ઘરદેરાસર હતું. આ ચાર જિનાલયોમાં (૧) શાંતિનાથ-શિખરવિનાનું (૨) વજે ચિંતામણિ પાર્શ્વનાથ (૩) આદીશ્વર (૪) શાંતિનાથનાં જિનાલયોનો સમાવેશ થાય છે અને માણેકચોક વિસ્તારમાં (૧) વાસુપૂજયસ્વામી (૨) ચિંતામણિ પાર્શ્વનાથ (૩) મહાવીર સ્વામી (૪) ધર્મનાથ–એમ કુલ ચાર જિનાલયો વિદ્યમાન હતાં.
ઉપર્યુક્ત આઠ જિનાલયો પૈકી આજે ઉપરનાં સાત જિનાલયો વિદ્યમાન છે. શાંતિનાથજીનું ઘરદેરાસર આજે માણેકચોક વિસ્તારમાં નથી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માણેકચોક વિસ્તારમાં (૧) આદેશ્વર (૨) ચિંતામણિ પાર્શ્વનાથ, ભોંયરું- આદિનાથ (૩) શાંતિનાથ (૪) વાસુપૂજ્ય સ્વામી (૫) ચિંતામણિ પાર્શ્વનાથ (૬) ધર્મનાથ (૭) મહાવીરસ્વામી– એમ કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માણેકચોક વિસ્તારમાં કુલ દસ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે, જે પૈકી ત્રણ ઘરદેરાસરો છે. (૧) રત્ન પાર્શ્વનાથ (૨) શાંતિનાથ (૩) વિમલનાથ આ ત્રણેય ઘરદેરાસરો પૈકી વિમલનાથનું ઘરદેરાસર આજે બોરપીપળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org