SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૯૯ એ તો પૂર્વે પાતિગ જાઈ, એ તો નિરષ્યઈ આનંદ થાઈ, હો ભવિકા. / ૧ મલ્લિનાથનઈ દેહરિ જઈઈ, બિ પ્રતિમા તિણ થાનકિ લહઈ, આંન્યા શર પરિ વહીઈ, હો ભવિકા. / ૨ આગલિ બીજઈ ઢંતામણિ પાસ, ભેયરિ ઋષભદેવનો વાસ, બંબ નમું પ (ચાસ), હો || ૩ ધૂણઈ શાંતિનાથ યગદીસ, તિહાં દિન પ્રતિમા છઈ એકવીસ નીતિ નામું સીસ હો || ૪ સાહા જસૂઆનૂ દેહેરું સારુ, સોમચિંતામણઈ તિહાં જૂહારું ! ચઉદ બિંબ ચિત્ત ધારું, હો // ૫ આગલિ દેહરિ રિષભ નિણંદ, પરદષ્યણ દેતાં આનંદ, સાઠિ બંબ સુખકંદ, હો // ૬ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં માણિક ચઉક પોલિ નામના વિસ્તાર સાથે કુલ સાત જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. માણિક ચઉક પોલિ નામના વિસ્તારમાં (૧) આદેશ્વર (૨) પાર્શ્વનાથ (૩)પાર્શ્વનાથ (૪)ભોંયરામાં આદેશ્વર (૫) મલ્લિનાથ (૬)શાંતિનાથ (૭) ધર્મનાથ- એમ કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : માણિકચઉકપોલિ ઋષભમંદિરિ એક્સ છપ્પન સાંભલઉ ૧૬ છ— મૂરતિ પાસનઈ દેહરઈ બીજઈ પાસજિન પંચાસ દુષ હરઈ ૧૭ ભંઈરઈ એકત્રીસ આદિ સહીત મલ્લિ સતાવન ગુણઘણઈ શાંતિ ભુવન ચૌદહ ધર્મ પન્નર .. સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં આજનો માણેકચોક વિસ્તાર લાડવાડા નામથી પ્રચલિત હતો અને આજનો લાડવાડા નામનો વિસ્તાર તે સમયે બામણવાડા નામથી પ્રસિદ્ધ હતો. ત્યારે લાડવાડા વિસ્તારમાં નીચે મુજબનાં જિનાલયો વિદ્યમાન હતાં. લાડવાડા મધ્યે દેહરાં ૬ ૭૨. શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથજી-આદ સંઘવીનું દેહરુ ૭૩. શ્રી આદીસર ભગવાન- ખુસાલભરતી ૭૪. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનું દેરું ૭૫. શ્રી આદીશર ભગવાન જગીબાઈનું ભોંયરું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy