SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ખંભાતનાં જિનાલયો વળી સં ૨૦૧૦માં માણેકચોક વિસ્તારમાં હોવાનું પ્રાપ્ત થાય છે. આજે આ ઘરદેરાસરનો વહીવટ શેઠ રસિકભાઈ દલપતભાઈના પરિવારના શ્રી કીર્તિભાઈ તથા શ્રી પ્રમોદભાઈ કરે છે. જિનાલય ઘણું જીર્ણ થયેલું હોવાથી સં૨૦૪૪માં જીર્ણોદ્ધાર થયો હતો અને તે સમયે આચાર્ય શ્રી પ્રબોધચંદ્રસૂરિજી હસ્તે પુન:પ્રતિષ્ઠા થઈ હતી. આરસપહાણના બનેલા આ ઘરદેરાસરમાં ધાતુના કુલ બાર પ્રતિમાજીઓ વિદ્યમાન છે. મૂળનાયકની ધાતુપ્રતિમા પર સં૧૫૩૬નો લેખ છે, જે નીચેની મુજબ છે : સંવત ૧૫૩૬ વર્ષે વૈશાખ વદિ ૧૧ શુકલે લોલીયાણા વાસ્તવ્ય શ્રી ઓસવાલ જ્ઞાતીય સા. સમધર ભાજાસૂસું સા કમા ભા. રમાઈ સહિતેન શાહ આસાન ભા. પદ્માઈ પ્રમુખ કુટુંબયુનેન શ્રી વિમલનાથ ચતુર્વિશતિ પટઃ કારિત પ્રતિ શ્રી વૃદ્ધ તપાગચ્છ શ્રી રત્નસિંહસૂરિ શ્રી ઉદયવલ્લભસૂરિ શ્રી જ્ઞાનસાગરસૂરિ પટે શ્રી ઉદયસાગરસૂરિભિઃ” મૂળનાયકની પ્રતિમાજી મનોહર છે. તેના પરિકરમાં ચોવીશી છે. ખંભાતમાં ઘરદેરાસરો અલ્પસંખ્યામાં છે ત્યારે આ ઘરદેરાસર એક જ કુટુંબની પરંપરામાં ઘણાં વર્ષોથી વિદ્યમાન રહ્યું છે એ નોંધપાત્ર ઘટના છે. ટૂંકમાં આ ઘરદેરાસર સં૧૯૦૦ પહેલાના સમયનું છે. માણેકચોક ખંભાતમાં આવેલ આજનો માણેકચોક વિસ્તાર અગાઉ સાહ મહઆની પોલમાણિકચઉકપોલ-લાડવાડો વગેરે નામ સાથે પ્રચલિત હતો. ૧૬મા સૈકામાં ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં માણેકચોક નામના વિસ્તારનો ઉલ્લેખ નથી. તે સમયે ભોંયરાવાળા આદિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે, જે નીચે મુજબ છે : ભૂહિરા માંહિ જઈ નમું એ ગુરૂઓ આદિનાથો સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં માણેકચોક વિસ્તાર સાહ મહઆની પોળના નામ સાથે પ્રચલિત હતો. તે સમયે અહીં (૧) મલ્લિનાથ (૨) ચિંતામણિ પાર્શ્વનાથ, ભોંયરામાં આદિનાથ (૩). ખૂણામાં શાંતિનાથ (૪) શાહ જસુઆનું સોમચિંતામણિ પાર્શ્વનાથનું દેહરું (૫) આગળ આદિનાથનું દેરું – એમ કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : સાહા મહીઆની પોલિ વષાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણું. પૂજીમ કરિની આંણ, હો ભવિકા, સેવા જિનવર રાય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy