________________
ખંભાતનાં જિનાલયો
૯૧
જિનાલયની બહારની દીવાલ પર વિપુલગિરિ, રત્નગિરિ, ઉદયગિરિ, સુવર્ણગિરિ વૈભારગિરિ, ગિરનારજીનું ચિત્રકામ છે. બહારના ભાગમાં ટોડલાઓની સુંદર રચના છે. બારસાખમાં રંગીન કલાત્મક કોતરણી જિનાલયની સુંદરતામાં વધારો કરે છે.
રંગમંડપની છત ચિત્રાંકનોથી ભરચક છે. અહીં સિદ્ધાચલ શેરિસા, પાનસર, કરેડા, શંખેશ્વર, તારંગા, ઘોઘા, મક્ષીજી, માંડવગઢ જેવા તીર્થો તથા તેના જિનાલયો દર્શકને તે તે તીર્થોની યાત્રાની અનુભૂતિ કરાવે છે. તદુપરાંત, આ છત પર જ, સંસારની અસારતાનો અનુભવ કરાવતું મધુબિંદુના દષ્ટાંતનું ચિત્ર દર્શકમાં વૈરાગ્યની ભાવના જગાડે છે. અને જંબૂવૃક્ષ અને ૬ વેશ્યાઓનું ચિત્ર તેને નિજ સ્વરૂપનું ભાન કરાવે છે. વળી, શ્રીપાળરાજા સતી સ્ત્રીઓની રક્ષા કરે છે તે વખતે ચક્રેશ્વરી દેવીનું આગમન જેવાં શ્રીપાળ-મયણાસુંદરીના જીવનના પ્રસંગોનું આલેખન તે મહાપુરુષના જીવનને જાણવાની ઉત્સુકતા વધારે છે.
છતની પેઠે, રંગમંડપની દીવાલો પણ ચિત્રાંકનોથી ભરચક છે અહીં સમેતશિખર, રાજુલ તથા રહનેમિના ગુફાનિવાસના પ્રસંગના આલેખન સાથેનો ગિરનાર, આબુ જેવાં તીર્થો ઉપરાંત તીર્થકરોના જીવન પ્રસંગો (મહાવીરસ્વામીના જીવનનો ચંડકૌશિક નાગનો પ્રસંગ, પાર્શ્વનાથ ઉપર પાણીનો છંટકાવ કરતો હાથી, પદ્માવતી) ચિત્રિત થયા છે. વળી, રાસ રમતી સ્ત્રીઓનું ચિત્ર પણ મનોહર છે. સામ સામેની ભીંતે નંદીશ્વરદ્વીપ તથા નવપદજીની રચનાઓને પથ્થર ઉપર ઉપસાવવામાં આવેલી છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૧)
રંગમંડપમાં ગીરનાર તીર્થની રચના પથ્થર તથા માટલાંનો ઉપયોગ કરી બનાવેલી છે. એમાં ટોચ પર કાચની ફ્રેમવાળા લાકડાના ખોખામાં શ્રી નેમિનાથ ભગવાનની ચમત્કારિક મનાતી લેપવાળી શ્યામ રંગની પ્રતિમા છે. આ રચનાની બાજુમાં જ કાચનું બનાવેલું સમવસરણ છે. તે જીર્ણ થઈ ગયું છે. ગીરનાર પર્વત તથા સમવસરણની રચના સાચે જ અભુત છે! ગીરનાર પર્વતની રચનાની પાછળની ભીંતે થાળી આકારનો ઊગતો ચંદ્ર ચીતરેલ છે તો સમવસરણની રચના છે તે ભીંતે ઊગતો સૂર્ય ચીતરેલો છે. બેઉ રચનાઓ બાજુબાજુમાં જ છે, તેથી દીવાલ પર એક સાથે ઊગતો ચંદ્ર અને ઊગતા સૂર્યનું અકલ્પનીય દશ્ય મનને મુગ્ધ બનાવે છે. ટૂંકમાં આ જિનાલય વિવિધ પટ, પ્રસંગો તીર્થો, દૃષ્ટાંતકથા તથા સુંદર રચનાઓના ચિત્રાંકનોથી શોભાયમાન બન્યું છે.
' સમોવસરણની બાજુમાં ગોખની રચના છે. ગોખમાં ઉપર-નીચે એમ મહાવીર સ્વામી તથા ગૌતમસ્વામીની પ્રતિમા છે. તેની સામેની બાજુએ કલાત્મક છત્રયુક્ત ગોખમાં પાર્જચંદ્રસૂરિજીની પાષાણની મૂર્તિ છે. આ ગોખમાં પગલાંની બે જોડ છે. તે બંનેમાં સં. ૨૦૦૬નો ઉલ્લેખ આવે છે. ઉપરાંત તેમાં બ્રાતૃચંદ્રસૂરિ તથા સાગરચંદ્રસૂરિના નામનો ઉલ્લેખ છે.
રંગમંડપમાં મૂળનાયકની ડાબી બાજુના ગર્ભદ્વારને અડીને દીવાલ પર ગોખમાં રાતા આરસનો અજિતનાથજીના વખતમાં વિચરતા ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થકરોનો પટ આવેલો છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૨) તે દરેક ભગવાનના નામ તેની સામેની દીવાલ પર લખેલા છે. આ પટની ઉપર છત્રમાં સાતમી નારકીના નિગોદમાંથી ઉત્પન્ન થતા જીવનું ચિત્ર પથ્થરમાં ઉપસાવેલું છે. મુખ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org