________________
ખંભાતનાં જિનાલયો
ગર્ભદ્વાર પાસે ડાબી બાજુ ગોખમાં શ્રી પાર્શ્વ પદ્માવતીની સુંદર પ્રતિમા છે. રંગમંડપ ઘણો વિશાળ છે. પ્રવેશદ્વારની પાસેની ચોકીમાં જ નીચે ભોંયરામાં બિરાજમાન શ્રી ગોડી પાર્શ્વનાથનું શિખર છે. આ શિખર પાસે ઊભા રહેતાં ઉપરથી જ ભોંયરામાં બિરાજમાન મૂળનાયકજીના દર્શન કરી શકાય તેવી જાળીની રચના કરેલી છે.
વિશાળ રંગમંડપમાં મળે ટોડલાઓ અને ઉપર ઝરૂખાવાળી બારીઓ છે. કાષ્ટકોતરણીની દષ્ટિએ જિનાલય વિરલ છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૦) જિનાલયમાં જ્યાં જુઓ ત્યાં ચિત્રકામ નજરે ચડે છે. તે આ જિનાલયની વિશિષ્ટતા છે. હાલ જિનાલયની સ્થિતિ સાધારણ છે.
નીચે ભોંયરામાં મૂળનાયક ગોડી પાર્શ્વનાથજીના ગભારામાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ છે. ગભારો નાનો છે.
નવપલ્લવ પાર્શ્વનાથજીના ગભારામાં પાષાણની છવ્વીસ પ્રતિમાજીઓ છે. જમણી બાજુ ગોખમાં એક ખંડિત પ્રતિમા ઉપરાંત સ્ફટિકની જીર્ણ પ્રતિમા પણ છે. મૂળનાયક નવપલ્લવ પાર્શ્વનાથજી ચાંદીની છત્રીમાં બિરાજમાન છે. અહીં ગૌતમસ્વામીની આરસની એક મૂર્તિ છે. તેના પર ““સંવત ૧૬૩૬.......મહાસુદ તેરસ....હીર વિજયસૂરિ ” એ મુજબનું લખાણ વાંચી શકાય છે.
આ જિનાલય પાર્જચંદ્ર ગચ્છના સંઘ સાથે જોડાયેલું છે. આજે પણ જિનાલયની વર્ષગાંઠ ઉપરાંત આ જિનાલયના સંઘ તરફથી શ્રી પાર્શ્વચંદ્રસૂરિની વર્ષગાંઠ નિમિત્તે જમણવાર થાય છે. જિનાલય પાર્શ્વચંદ્રસૂરિજીના ગુરુમંદિરની નજીકમાં જ આવેલું છે.
ટૂંકમાં આ જિનાલય ૧૬મા સૈકામાં વિદ્યમાન હતું.
બોરપીપળો
સંભવનાથ-ચંદ્રપ્રભસ્વામી (સં. ૧૯૪૪) બોરપીપળા નામના વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામીના જિનાલયની સામે સંભવનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયમાં જ સંભવનાથજીના ગભારાની બાજુમાં એક અલગ ગભારો બનાવી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
સંભવનાથજીના આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે.
બીજી સાલવી પોલિ, બઈ પ્રાસાદ પૂજો અંઘોલિ, કેસરચંદન ઘોલિ, હો. | ૨૦ સંભવનાથ જિન પ્રતિમા વીસ, મુનિસુવ્રતનઈનામું સીસ, ભૂયરિ બંબ બાવીસ હો. | ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org