SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૮૫ ૫૯. શ્રી વિમલનાથનું દેહરું. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવેલા ખંભાતનાં જિનાલયો પૈકી વિમલનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ બોરપીપળા વિસ્તારમાં ક્રમાંક ૧૩ માં થયેલો છે. તે સમયે ભોંયરામાં ગોડી પાર્શ્વનાથ બિરાજમાન હોવાનો ઉલ્લેખ છે. બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું ૧૩. વિમળનાથજીનું (ભુંઈરામાં ગોડી પારસનાથ) ૧૪. સોમચિંતામણજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સંઘવીની પોળમાં આવેલા આ જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની સાત પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો છે. જિનાલયના મકાનની સ્થિતિ તે સમયે સારી દર્શાવવામાં આવી હતી.' સં ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્ય પરિપાટીમાં સંઘવીની પોળમાં વિમલનાથજીના જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે અને તે સમયે જિનાલયમાં બે લેખ હોવાનો ઉલ્લેખ છે. પૃ. ૪૩-૪૪ ઉપર જિનાલય વિશે નીચે મુજબ નોંધ મળે છે : વિમલનાથનું દેરું નાનકડું છતાં શોભીતું છે. તેમાં બે લેખ તથા બે પગલાં જોડ છે. નીચે ભોંયરું છે. કામ અધૂરું છે.” તે સમયે વહીવટ હીરાચંદ કલાચંદ હસ્તક હતો જેઓ જિનાલયની નજીકમાં જ રહેતા હતા. ઉપરાંત આ જિનાલયમાંના મુનિસુવ્રત સ્વામીના બિંબ વિશે નીચે મુજબની નોંધ. પૃ. ૪૪ ઉપર મળે છે : સંવત ૧૪૮૫ વર્ષે મહા સુદિ ૧૦ શનીવારે ઓશવાળ જ્ઞાતિના શેઠ નાથાની ભાર્યા વાનૂએ પુત્ર સા મહુણાકે ભાર્યા પૂરી પ્રમુખ કુટુંબ સાથે પોતાના શ્રેયાર્થે ભરાવેલા શ્રીમુનિસુવ્રત સ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી'. આ બિંબ ઉક્ત દેહરામાં છે. પ્રતિષ્ઠા પ્રભાવક એવા શ્રી સોમસુંદર સૂરિના હસ્તે થયેલી છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયને ઘુમ્મટબંધી દર્શાવવામાં આવેલું છે, તે સમયે જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. વહીવટ તે સમયે શેઠ જીવાભાઈ હીરાચંદ હસ્તક હતો. ઉપરાંત તે સમયે જિનાલયમાં સુંદર ચિત્રકામ હોવાનો ઉલ્લેખ પણ થયેલો છે. હાલ આ જિનાલયનો વહીવટ શ્રી અજયભાઈ સેવંતીલાલ શાહ તથા શ્રી યોગેશભાઈ શકરાભાઈ હસ્તક છે, જેઓ સંઘવીની પોળમાં જ રહે છે. પ્રસ્તુત જિનાલયના બહારના ભાગમાં સરસ્વતીદેવીનું ચિત્રકામ કરેલ છે. રંગમંડપની દીવાલ પર કમઠનો ઉપસર્ગ, ચંદનબાળાના પ્રસંગોનું ચિત્રાંકન કરેલું છે. રંગમંડપના થાંભલાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy