________________
પૂત પં. શ્રી પદ્મવિજ્યજી મ. કૃત
શ્રી નવપદ-પૂજા–વિધિ આ પૂજામાં અવશ્ય જરૂરની કેટલીએક ચીજે
દૂધ, દધિ, વ્રત, શર્કરા, શુદ્ધ જળ એ પંચામૃત, કેશર સુગંધી ચન્દન, કપૂર, કસ્તૂરી, અમ્બર, રોલી, મૌલીસૂત્ર, છૂટા ફૂલ, ફૂલની માળા, ફૂલના ચંદ્રવા, ધૂપ, તન્દુલ વગેરે નવ જાતિના ધાન્ય, નવ પ્રકારનાં નૈવેદ્ય, નવ પ્રકારનાં ફળ, નવ પ્રકારની પક્વ વસ્તુ, મિશ્રી, પતાસાં ઓલા પ્રમુખ, અંગલૂહણ માટે સફેદ વસ્ત્ર. પહેરવા માટે ઉત્તમ રેશમી વસ્ત્ર, વાસક્ષેપ, ગુલાબજળ, અત્તર, ઈત્યાદિ તથા નવ નાળના કળશ, નવ કેબી, પરાત (તસ) તાંસળાં, આરતી, મંગલ દીપક, ભગવાનની આંગી, સમવસરણ ઈત્યાદિક સર્વ વસ્તુઓ પ્રથમથી એવી રીતે ઠીક ઠીક કરીને રાખવી કે જેથી પૂજા વખતે અડચણ ન આવે. સંક્ષેપમાં વિધિ કર્યો છે, વિશેષ વિધિ ગુરૂ ગમથી જાણો.
કળશઢાલનને વિધિ ચિત્ર તથા આ માસમાં પૂજાઓ ભણાવીએ ત્યારે નવ સ્નાત્રિયા કરવા, મોટા કળશ વગેરેમાં પંચામૃત ભરવું, સ્થાપનામાં શ્રીફળ તથા રોકડ નાણું ધરવું, તે ગુરુ પાસે મંત્રાવી કેશરથી તિલક કરવું. કંકણદોરો હાથે બાંધવો, ડાબા હાથમાં સ્વસ્તિક કરીને વિધિયુક્ત સ્નાત્ર ભણાવવું, પછી શ્રી અરિહંતપદમાં તન્દુલ, ધૂપ-દીપ-નૈવેદ્ય વગેરે અષ્ટ દ્રવ્ય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org