________________
વિશ્વ રચના પ્રબંધ. લની થશે, એમ ધારી બંદુકની ગોળી છોડે તે શું ૩૪ માઈલ ગળી જશે ? કદી પણ નહીં જાય. આ રીતે ૦૧ માઈલ પર રહેલ વસ્તુનો નાશ કરવા સેકંડના આઠમાં ભાગની જરૂર પડવી જોઈએ, અને કદાચ પૃથ્વીની બે ગતિ હોય તો ફેકેલ વસ્તુ કઈ દિશામાં પડશે તે ધારી શકાય નહિં.
૧૦ આધુનિક શોધ પ્રમાણે-અરૂદય કે સંધ્યા કેમ બને છે તે સમજી શકાતું નથી, અને વળી પૃથ્વી ફરતી હોય તે અરૂણાસ્ત એટલે અસ્ત પછીની લાલાશ કેમ ન બને? ? તાત્પર્ય કે-સૂર્યોદય પહેલાં જે પ્રકાશ-લાલાશ હોય છે તે સૂર્યાસ્ત પછીને પ્રકાશ કેમ ન બને તેને ખુલાસે થે પણ મુશ્કેલ છે.
૧૧ એક ચકડોળ પર આપણે બેઠા હોઈએ ત્યારે સામે રહેલ વસ્તુને ધીરે ધીરે આપણી પાસે આવતી ઈયે છીયે, અને પાસે આવતાં તુરત પસાર થતી જોઈયે છીએ. વળી આપણે રેલવેમાં બેઠા હોઈએ તે પાસે આવેલ ઝાડને આપણુ પાસેથી પસાર થતું જોઈએ છીયે. હવે કદાચ પૃથ્વી ફરતી હેત તે સવારથી નવ વાગ્યા સુધી સૂર્યની ધીરી ગતિ જોઈ શકત, અને બપોરે પણ સૂર્યને મધ્ય ભાગમાંથી તુરત પસાર થતો જોઈ શકત, પણ તેમ બનતું નથી.
૧૨ ધ્રુવના તારાનું સ્થાન, નક્ષત્રના ઉદયનું સ્થાન, અને સૂર્યના ઉદયના સ્થાનને કાટખુણે મેળવીયે તે સૂર્યને કાટખુણે હંમેશાં ફરતે જણાય છે. એટલે સૂર્ય ફરે છે એમ માની શકાય છે નક્ષત્રનું ઉદયસ્થાન અને ધ્રુવ સ્થિર છે, તેવી રીતે સૂર્ય પણ સ્થિર હોય તે તેને કાટખુણે બીલકુલ ફેરફારવાળે દેખાત નહીં.
૧૩ ધ્રુવનું સ્થાન, નક્ષત્રનું ઉદય સ્થાન, અને પૃથ્વીને કાટખુણે નિરંતર એકજ છે. પૃથ્વી ફરતી હોત તે તેમાં ફેરફાર થાત, પણ પૃથ્વી ફરતી નથી જેથી તે કાટખુણામાં ફેરફાર થતો નથી. ઉપરના લક્ષણેથી સાબીત થાય છે કે પૃથ્વી સ્થિર છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org