________________
(૫૪ )
વિશ્વ રચના પ્રબંધ. માન્યતા એક વિદ્વાને સને ૧૯૧૯ માં જાહેર કરી છે. અથ નોટ અગ્લોબ પુસ્તકના કર્તા અમેરીકન વિદ્વાન પૃથ્વીને સ્થિર અને ચપટી માને છે.
પ્રશ્ન –જે કે પ્રથમની એવી માન્યતા હતી કે પૃથ્વી સ્થિર છે. ઈ. સ. પૂર્વે ૫૦૦ વર્ષ પહેલાં થયેલ ગ્રીક દેશીય પંડિત પીયાગોરસને આ પ્રવી વિગેરે ગ્રહો સૂર્યમાળામાં ફરે છે એવી માહિતી થઈ, ત્યાર પછી આર્યભટ્ટને પણ તે ખબર હતી, પણ કેઈએ તેની દરકાર ન કરી. પણ ટેલીમી ગતિ માપવા મહેનત કરી. તથા ૩૦૦ વર્ષ પહેલાં પ્રશીયાના કેપનિકસ ( કાપીન્સ ) ખગોળવેત્તાએ ગ્રહના છેટાપણાના વર્ગ દેખાડી પીયાગેરસના વિચારને પુષ્ટિ આપી. ગાલીલીયે દુબીનની શોધ કરી, ક્રમે સર એઝાક ન્યુટને દાખલા દલીલથી તે વાતની સાબીતી કરી આપીને સૂર્યમાળાને વૃત્તાંત સાચે છે એમ જણાવ્યું. ન્યુટન સુસ્થિરતા અને સમત્વને સમજ્યા હતું, પણ વિચિત્ર ગ્રહગતિ તથા માનને નહેાતે સંમો . પછીના સંશોધકોએ વર્ણલેખયંત્રથી ગ્રહોનાં કદ વિગેરે માપ્યાં. આ સૂર્યમાળામાં પૃથ્વી તેને ગ્રહ છે, તે પોતાની આસપાસ અને કેન્દ્રાભિસારિણું–કેન્દ્રાભિગામિની ગતિ વડે સૂર્યની આસપાસ એ પ્રકારે પશ્ચિમથી પૂર્વ ભણું ફરે છે, તેમ બીજા ગ્રહો પણ ફરતા મનાય છે. ગ્રહની આસપાસ ઉપગ્રહો પણ કર્યા જ કરે છે. આ દરેકની ગતિ સિદ્ધ કરવા પૃથ્વીની બે ગતિએ માનવી પડે છે, અને તે સારી રીતે સમજી શકાય છે, તેથી પૃથ્વી સ્થિર છે એમ માની જ કેમ શકાય ?
ઉત્તર–આને ઉત્તર જુદા જુદા હિસ્સામાં આપવાથી તમે સમજી શકશે. જે પ્રથમ પૃથ્વી ફરે છે તે ડુંગર, શિખર, ઘર, હાટ અને આપણે સર્વે પૃથ્વીથી છુટા પડી જઈએ, પ્રમાણુ સહસ્ત્રીમાં બ્રહ્મગુપ્ત કહે છે કે–ાવર્તનમુર્થાત ન વાનિત મુરબ્રૂયાર વાસ્માત? વળી શ્રીપતિ પણ કહે છે કે – भूगोलवेगजनितेन समीरणेन प्रासादभूधरशिरांस्यपि संपतेयुः પણ તે કાંઈ પડી જતું હોય એમ આપણે જોઈ શકતા નથી, અને સ્વાભાવિક રીતે પણ પૃથ્વી સ્થિર દેખાય છે. પૃથ્વી ફરતી માનતાં ઉપલી વસ્તુનું જુદા પડવું સંભવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org