________________
श्रीमद्-चारित्रविजयसद्गुरुभ्यो नमः। ગ્રંથ સૃષ્ટિનું ચણતર.
પ્રેરણ–
સંવત્ ૧૭૫ સુધી મારું સાહિત્યક્ષેત્ર જાહેર જીવનમાં નિર્માલ્ય હતું–અણખેડયું હતું. કંઈક ઉત્સાહ હશે, પણ ખીલ કુદવામાં જ તેની પરિસમાપ્તિ થતી હશે. પણ મ. ૨૦ મહેતાએ પ્રેરક બની પ્રચારક તત્ત્વનું મીલન આવ્યું, એટલે કંઈ લખવું જોઈએ એ ભાવનાતન સંગ્રહ થયા.
અમાએ કાર્તિક વદમાં જુનાગઢ જવા માટે વિહાર કર્યો, પણ વચમાંજ વકીલ ચત્રભુજભાઈએ સદરમાં–વકીલ રતિલાલ અભેચંદ મણીયારના ઘરે માત્ર એક દિવસ રહેવા વિજ્ઞપ્તિ કરી. અમે ત્યાં એક દિવસ રહ્યા, પણ ન માલુમ એ વિનતિમાં ઠાંસી ઠાંસીને શું ત ભર્યા હશે? અમારે એક મહિને એક દિવસ જેવડે થયે, અર્થાત્ તે સ્થાને . ૧ દિવસને બદલે ૨૯ દિવસ રહેવાનું બન્યું. - અહીં ગુજરાત ગરવા ભક્ત કવિ લલિજીતના મંજીરાને રણકાર આવ્યું, ભક્તિરસને કુવારો છુટયે, અને તેમાંથી તત્ત્વચર્ચા પરિમલની સુવાસ બહેકી ઉઠી. કવિશ્રીએ જણાવ્યું કે આપની પાસેથી હું જે સાંભળું છું તે જગતની સમક્ષ સામ્યદૃષ્ટિથી રજુ કરવું જોઈએ, ગ્રાહક હશે તે આપેઆપ આકર્ષાઈ રસ ચૂમી જશે. મેં ઉત્તર આપે કે-હું એ ઈચ્છું છું, મારા પૂજ્ય ગુરૂદેવે મને તે માટે એગ્ય માર્ગ દર્શાવ્યા છે, પણ જ્યાં સુધી જૈનેતર જગતના વિચારનું ચર્વણ ન થાય ત્યાં સુધી આ બાબતને પ્રયત્ન કરતાં કાંઇ અચકાવું પડે છે. - કવિશ્રીએ કહ્યું કે મારી પાસે આ વિષયનું એકે પુસ્તક છે, આપ તે વાંચે, વિચારે, અને વિચારોને જાહેરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org