________________
( ૨૪ )
વિશ્વ રચના પ્રબંધ. હેય, જેમાં તાંતણું ન હોય, અને જેને છેદીને ફરીથી વાવતાં ઉગે તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. તે સુક્ષમદેહી અને અન્તર્મુહૂર્તના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા હોય છે. વૃક્ષનાં ૫રિપકવ મૂળ, લાકડાં, છાલ, પત્ર, ફૂલ અને બીજા પ્રત્યેક વન- .
સ્પતિકાય કહેવાય છે. તે એક હજાર એજનથી અધિક ઉત્કૃષ્ટ દેહમાનવાળા અને ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષના આયુષ્યવાળા હોય છે. વનસ્પતિકાય જીનાં અસ્તિત્વનાં લક્ષણે ચર્મચક્ષુથી અને બુદ્ધિબળથી પ્રત્યક્ષપણે નીચે પ્રમાણે જોઈ શકાય છે–
મનુષ્યની પેઠે ઝાડ છોડ અને વેલામાં પણ કમળતા તારૂણ્ય અને વૃદ્ધાવસ્થા જોઈ શકાય છે. હાથ પગ આદિ અવયવોથી મનુષ્ય પશુ આદિ વધે છે, તેમજ અંકુરા કંપળાં, ડાંખળી, ડાળીઓ વિગેરે અવયવોથી વૃક્ષ પણ વધે છે. વળી મનુષ્યની પેઠે !આડ, - બલી, કમળ, કુમુદ,અંબાડી, વગેરે વૃક્ષમાં નિદ્રા તથા જાગૃતાવસ્થા દેખાય છે, તેમજ લોભ, હર્ષ, લજજા, ભય, મિથુન, કોધ માન, કપટ, આહાર અને ઓઘ સંજ્ઞાઓ પણ વૃક્ષમાં દેખાય છે. જેમકે વેતાર્ક કે આકડે લોભવશ થઈને ધનને પિતાના મુળથી ઢાંકી રાખે છે. મેઘના ગજેરવથી કે શીતળ મંદ પવનથી કેટલીક વનસ્પતિ અંકુરાને ખીલવે છે એટલે કે હર્ષિત થાય છે. લજજાળુ વનસ્પતિ મનુષ્યના હાથથી સંકોચાય છે, તેલજા કે ભયવિકાર જાણ. અશોક, બકુલ, ફણસ, તિલક વિગેરે વૃક્ષ સાલંકાર નવાવના સ્ત્રીના પગના પ્રહારથી તેના મુખનું તાંબુલ નાખવાથી, તેના સસ્નેહ આલિંગનથી, અને તેના હાવભાવ કટાક્ષ યુક્ત સ્વરથી તત્કાલ ફળ આપે છે; ખરેખર એ મૈથુનસંજ્ઞાને વિકાર છે. ખારેકને માટે પણ તેવું છે. કેકનદ મનુસ્થાને ૫ગ લાગવાથી હુંકાર ધારણ કરે છે, તે કંધનો ભાવ જાણ. “સ્વર્ણસિદ્ધિ કરાવનાર છતાં લેકે કેમ દુઃખી છે?” એવા અહંકારથી રૂદ્રવંતી રૂદન કરે છે, તે માનને વિકાર જાણછે. ઘણું કરીને સઘળી વેલડીએ પોતાનાં પાંદડાંથી વૃક્ષને ઢાંકી દે છે, તે માયાને વિકાર જાણ. નાગરવેલ, દાડમ, પ્રમુખને છાણ કે દુધના દેહલા ઉપજે છે, તે પૂર્ણ થતાં પત્ર ફળ કુલ મને રસથી વૃદ્ધિ પામે છે. ઉત્તમ ભૂમિ પાણી અને ખાતરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org