________________
( ૮ )
વિશ્વ રચના પ્રબધ. • તે પુદ્ગલે ચાર રાજકમાં વ્યાપ્ત છે, તેનાં અણુઓ અતિ સૂક્ષ્મ હોય છે, અને તેઓનું સંમીલન-ઉન્મીલન થયા કરે છે. આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓ કહે છે કે, તે દરેકમાં સંઘાતક (for ce) અને વિઘાતક ( Lenergy) શક્તિઓ સ્વ ભાવ રૂપે રહેલી છે. સંઘાતક શક્તિ Elementary substance અસંગત રૂઢિ કે અણુ, તથા Compound સંગત કે યોગિક અણુઓને સ્કંધ બનાવે છે,
પૂર્વષિ તથા આધુનિક વિદ્વાનને એ મત છે કે–જે વિઘાતક શક્તિ ન હોત તો સંઘાતક શક્તિ વિશ્વના સમસ્ત અણુએને મહાત્કંધ રૂપે બનાવી રાખત, એટલે વિઘાતક બળ પિતાને હાથ ઉઠાવી લે, તો તે સંજક ક્રિયા આ વિશ્વને તુરતજ એકાકાર બનાવી છે. પરંતુ વિઘાતક શક્તિને લીધે તેમ બનવું તદ્દન અશક્ય છે, તેમ છતાં એકંદરે વિશ્વની સંઘાતક શક્તિ , વિઘાતક શક્તિના ગમે તેવા પ્રતિરોધથી પણ અલ્પ કે ન્યૂન નથી.
વિઘાતક શક્તિ સંયુક્ત દ્રવ્યને છુટા પાડવાનું કાર્ય કરે છે, એટલે આ શક્તિને કંધાદિમાં ઘણું કે થોડા અણુઓ ભેગા થાય તે કઈ રીતે રૂચતું નથી જે કે આ શક્તિનું પ્રમાણ સર્વદા એક સરખું જ રહે છે, અને પ્રત્યેક અણુઓમાં અભિન્નભાવે સ્થિત છે, પરંતુ આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ તેનું ભિન્ન સ્વરૂપ અને ઈતર શકિતરૂપે સંક્રમણ પ્રતીત થાય છે. જે વિઘાતક શક્તિનું સામ્રાજ્ય હાય, અને સંઘાતક શકિતને નિતાન્ત પરાભવ થાય તે પ્રત્યેક આણુ છુટા છુટા થઈ જાય, જે જગતનાં કાર્ય કરવામાં નિરૂપાગી રહે. આ રીતે આ ઉભય શક્તિના પરસ્પર વિરૂદ્ધ સ્વભાવ વડે આ વિશ્વનું તંત્ર ચાલે છે, અને પ્રત્યેક અણુઓ આ શકિતની પ્રેરણાથી વિવિધ અવસ્થાને પામ્યા કરે છે. અણુ અણુથી બનેલ સ્થૂલ અણુઓ પણ આપણું દૃષ્ટિથી કે વૈજ્ઞાનિક દૃષ્ટિથી કેટલી સૂક્ષ્મતાવાળા દે. ખાય છે તે માટે આપણે વાંચ્યું તે હશે કે-એક ઇંચ સેનાના વરખનાં ૨૮૨૦૦૦ થર સમાય છે. ચાર માષ માપવાળી કરોળીયાની જાળને તા૨ ૪૦૦ માઈલ લંબાય છે. અધ આંગળી
૧ કરોળીયાની જાળના તાંતણ ઈજનેરેને માપવા માટે બહુ ઉપયેગી થયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org