________________
(૧૫૮ )
વિશ્વરચના પ્રબંધ. દેવે કહ્યું –પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ, ને પાછું પાણીથી જુદા કરે, અને દેવે અંતરિક્ષ બનાવ્યું. અંતરિક્ષની તળેનાં પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી જુદા કીધા, ને તેવું થયું. તે દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું. તે સાંજ હતી. તથા સવાર હતું. બીજે દિવસ ( ૬ થી ૮)
દેવે કહ્યું–આકાશ તળેનાં પાણી એકજ જગ્યાએ એકઠા થાઓ, અને કેરી ભૂમી દેખાવમાં આવે ને તેવું થયું. દેવે કેરી ભૂમીને પૃથવી કહી ને એકઠા થયેલા પાણીને સમુદ્રો કહ્યા. અને દેવે જોયું કે તે સારું છે. અને કહ્યું કે-તે ઘાસ, તથા બીજદાયક શાક, તથા ફળ વૃક્ષ પોત પોતાની જાત પ્રમાણે ફળદાયક, જેનાં બીજ પિતામાં પૃથ્વી પર છે તેઓને પૃથ્વી ઉગાડે, અને એમ થયું. જે સર્વ પાતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાડયા, અને દેવે જોયું કે તે સારું છે. સાંજ હતી ને સવાર હતી. ત્રીજે દિવસ (૯ થી ૧૩) દેવે કહ્યું-રાત-દહાડો જુદા કરવા સારૂ આકાશના અંતરિક્ષમાં તિષિઓ થાઓ, તેઓ મહિન્હg દિવસે અને વર્ષોના અર્થ થાઓ-પૃથ્વી પર અજવાળું આપવા આકાશમાં જ્યોતિષીઓ થાઓ ! ને તેવું થયું. પછી દિવસ તથા રાત્રિ પર અમલ ચલાવવા અને તે અજવાળું-અંધારૂ જુદા કરવા બે મટી જ્યોતિ, તથા તારાઓ બનાવી આકાશમાં સ્થિર કીધાં. ને દેવે જોયું કે તે સારું છે, તે સાંજ હતી, તથા સવાર હતી. ચોથા દિવસ. (૧૪ થી ૧૯) આ દેવે કહ્યું કે પાણી છવજંતુઓને પુષ્કળ ઉપજા, તથા પૃથ્વી પરના આકાશ-અંતરિક્ષમાં પક્ષીઓ ઊડે. ને દેવે મોટાં માછલાં, પેટે ચાલનારા જીવ જંતુઓ, તથા દરેક પોતપોતાની જાત પ્રમાણેના પ્રાણીઓને પુષ્કળ ઉપજાવ્યા. તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક પક્ષીઓને ઉત્પન્ન કીધાં. અને દેવે તેને આશીર્વાદ દઈને કહ્યું કે–સફલ થાઓ, વધે, સમુદ્રમાંનાં પાણું ભરપૂર કર, ને પૃથ્વી પર પક્ષીઓ વધો. તે સાંજ હતી ને સવાર હતી. પાંચ દિવસ (૨૦ થી ૨૩ )
દેવે કહ્યું કે-ગ્રામ્યપશુ તથા વનપશુઓને પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી ઉપજાવે તેવું થયું, દેવે જોયું કે તે સારું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org