________________
નિવેદન દસમું .
( ૧૨૩ ). અને છ દર્શનની પહેલાનાં કે શું ? ત્રેતાના અંતમાં વાલમિક ઋષિ થયા, અને ત્યાર પછી ૮૨૪૦૦૦ વર્ષે દ્વાપરના અંતમાં વ્યાસજી થયા; છતાં આશ્ચર્ય છે કે, વ્યાસજીના મહા ભારતમાં વાલ્મિકછની. સહાય હતી ! વ્યાસજીના પદ્મપુરાણમાં ઈ. સ. ૧૨૦૦ સુધીનું વર્ણન છે. રાજતરંગિણી કહે છે કે-કલિયુગના ૮૫૦ વર્ષ પછી પાંડવો થયા છે, જ્યારે બીજા ગ્રંથમાં બીજું કથન છે. એક કલ્પના ૪૦૦૦ યુગના મવંતરે ૧૪ થાય છે. હવે પહેલા મવંતરમાં પ્રિયવ્રતના વંશના રાજા હતા. બીજા અનંતરમાં પ્રિયવ્રતના ભાઈ ઉત્તાનપાદનો વંશ હતા. ઉત્તાનપાદવંશીય દ સપ્તમ સ્વંતરીય કશ્યપને પિતાની પુત્રી પરણાવી હતી.
કેટલાક એવા ઉપનિષદ્ અને પુરાણના અધિકારે છે કે જે માત્ર રૂપકેજ છે. જેમકે-પ્રજાપતિ-રવિ, બેટી–ઉષાને ભોગવે છે. ઇંદ્ર-રવિ અહલ્યા-રાત્રિને સ્પર્શે છે. ભસ્મ–ભસ્મ અને જટા-ધુભાડે રૂદ્ર-અગ્નિનું ચિન્હ છે.
- બ્રહ્મા-જળ અને ઈદ્ર–આકાશ (તિદાસ તિમિરનાર) વેદના મિત્ર અને વરૂણ તે પાશ્ચાત્ય વિદ્વાનોના હાઇડ્રોજન અને એકિસજન છે. (સત્ય) ૫ર્ષથી અન્યન અને અન્નથી ભૂત છે. (ભા) અગ્નિની આહુતિ આકાશમાં જતાં વૃષ્ટિરૂપે નીચે આવે છે. એટલે સૂર્યથી વૃષ્ટિ, વૃષ્ટિથી અન્ન, અને અન્નથી પ્રજા છે. (મનુસ્મૃતિ) વેદમાં સ્વર્ગથી સુખવિશેષની અને ઉર્વશીથી અરણિવૃક્ષની પીછાણ છે. (નન્તીત્ર વૃત્તિ)
- લો. મા. તિલક પણ કહે છે કે ઉપનિષના કેટલાક પાઠોમાં વાત એક અને ઉદ્દેશ બીજો હોય એવા પાડે છે. ( go )
બંકિમચંદ્ર બાબુ લખે છે કે-યજુર્વેદસંહિતામાં અરણિના બે કટકાનાં નામ પુરૂરવા અને ઉર્વશી છે. પણ યજુર્વેદ હિતા માધ્યન્દિનીશાખા અધ્યાય ૫, કાંડ-૨, મંત્ર-૩-૪-૫ માં બન્નેને પતિ-પત્ની રૂપે, અને વચમાં રાખેલ ઘીને આયુ રૂપે કલ્પેલ છે. ઋ. સં. મંડલ ૧૦ સૂકત ૮૫ માં તો આ બન્ને કાષ્ઠો યજ્ઞના નિરંતર ત્રણ અગ્નિ ઉત્પન્ન કરવા માટે નાયક-નાયિકા રૂપે દર્શન દે છે કેહે પુરાવા ! તું દરરોજ ત્રણ વાર મારી સાથે ભોગ કરે છે. મહા
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org