________________
( ૧૨ )
વિશ્વરચના પ્રબંધ. અને પ્રત્યયનાં નિયમોથી ગુંથેલી ) નથી; પણ બંને ભાષાના મેળાપ - રૂપ-મિશ્ર ભાષા છે. અને વેદભાષા શીખવા માટે અલાયદુ વૈદિક વ્યાકરણ છે.
આ સંબંધમાં વિશેષ જાણવા ઈચ્છનારે સરસ્વતી વર્ષ ૧, ચવા ૧, સને ૧૮૦૮ સપ્ટેમ્બરમાં આવેલ વેદવિહિત વિનાયક વિશ્વનાથનો વેદલેખ વાંચી જવો.
સ્કૃતિ અને પુરાણોમાં પણ પ્રસ્તુત ચાર પ્રશ્નને વિચાર કરી લઈએ.
૧ જે સ્મૃતિ જેણે કરેલ હોય તેના નામથી જ તે સ્મૃતિ ઓળખાય છે. જેમકે-યાજ્ઞવલ્કય સ્મૃતિ, મનુસ્મૃતિ વિગેરે. પુરાણના કરનારા અનેક પંડિતો થયા છે, જેને નામવાર ખુલાસે મળી શકતો નથી. પણ વ્યવહારથી તો વ્યાસજીના પુરાણે એ પ્રમાણે બેલાય છે.
- બંકિમ બાબુ કહે છે કે–વેદ ઉપનિષદ્ અને પુરાણના કરનારા વ્યાસ એવા ઉપનામથી ઓળખાતા હતા, જે ઘણુ થયેલ છે. વેદમાં તે શતપથ બ્રાહ્મણ વિગેરેના પુરાણ હોવાનું લખ્યું છે, જે અત્યારે બીલકુલ મળી શકતા નથી. ત્યાર પછી લોકવાયકાને જે સંગ્રહ થયો તેણે અત્યારના પુરાણાનું રૂપ પકડ્યું છે, જેમાંનાં કેટલાક પુરાણો બદલાઈ પણ ગયા છે. જુનું બ્રહ્માવત મળતું નથી, જેનું સ્થાન અત્યારે અગ્યારમા સૈકા પૂર્વે થયેલ બ્રહ્મવૈવતે લીધું છે. દશાવતારની કથાઓ તો બનાવટીજ છે. ( ગુ. કૃષ્ણ ચરિત્ર પાના ૬૩ થી ૭૧ ) પ્રાચીન રૂઢિનું સંકલન તે ઋતિઓ કહેવાય છે, મહાભારતના યુદ્ધમાં મનુસ્મૃતિ ન હતી. (૨૦૦૯)
૨ સ્મૃતિમાં વ્યવહાર માર્ગ દર્શાવ્યો છે, અને પુરાણોમાં ચરિત્ર તથા ઇતિહાસના પાઠે છે. દરેક દેવનાં જુદાં જુદાં પુરાણે છે, અને
જે દેવનું જે પુરાણું હોય તેમાં તે દેવની ઉત્તમતા અને અલંકારિક દષ્ટિએ કહીએ તો બીજા દેવની ગૌણુતા વર્ણવેલ છે. ન ઈચ્છી શકાય એ પરસ્પર ભેદભાવ, ક્ષણિક પ્રશંસા, તથા નિંદાના પાઠ પણ છે. ઐતિહાસિક વિરોધ પણ દષ્ટિગોચર થાય છે. જેમકે-ભગવાન મનુના પુત્ર કપિલે કપિલ શાસ્ત્રમાં અને બ્રહ્માના જમાઈ ગૌતમે ન્યાયશાસ્ત્રમાં ગીતાજી, કલિયુગ અને છ દર્શનને અધિકાર આપે છે. એટલે કપિલ શાસ્ત્ર અને ગૌતમ શાસ્ત્ર ગીતાજી કળિયુગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org