________________
ધર્મ અને નીતિ
૫૬૯ ઉચ્ચતમ ધર્મનિકા હિંદુ, ખ્રિસ્તી વગેરે ભેદ ગૌણ માનતી હશે, પણ વ્યવહારદષ્ટિએ એ ભેદ અન્ય જનોની અજ્ઞાનાવસ્થામાં ઉપયુક્ત છે, એટલું જ નહિ પણ આવશ્યક છે એ તત્ત્વ પણ તેની જાણમાં હોય છે. ઉચ્ચતમ ધર્મનિષ્ઠા ઈદ્રિયોને વશ રાખે છે; તેનો સંહાર કરતી નથી. સુખેચ્છાનું કથન તે કાન ધરીને સાંભળી લે છે; પણ યોગ્ય સમયે જ, યોગ્ય પ્રસંગે જ અને યોગ્ય પ્રમાણમાં જ તેના કથનાનુસાર વર્તે છે. હૃદયની મહત્વાકાંક્ષાને તે મસ્તક ઊંચું કરવા દેતી નથી; પણ જગતમાં ક્ષુદ્ર માણસને મહત્ત્વ પ્રાપ્ત થવા લાગે છે તો તેમાં ભૂતમાત્રનું અહિત રહેલું જોઈ તેને તે વિરોધ કરે છે. ધર્મનિષ્ઠા બાહ્ય વસ્તુ પર, કર્મ પર, પ્રસંગ પર, પરિણામ પર કિંવા ફળ પર અવલંબન રાખતી નથી. તે તો આત્મસંતુષ્ટ હોય છે. તેની ક્રીડા, રતિ, આસક્તિ પિતામાં જ હોય છે. આનો અર્થ એવો નથી કે તે કોઈ પણ કામ કરતી નથી, કિંવા કરવા ઇચ્છતી નથી, કિંવા કાર્યફળ તેને સરખી જ યોગ્યતાનાં લાગે છે. તેને પિતાના સુખની દરકાર નથી હોતી પણ તે અન્યને સુખ આપવા ઇચ્છે છે, તેને પિતાને માટે ક્ષુદ્ર સ્વાથનું કાર્ય રહેલું નથી હોતું પણ અન્યનું કલ્યાણ સાધવાનું કામ કર્યા સિવાય તેને સંત-સમાધાન જ મળતું નથી. તે પાંડિત્ય, વિદ્વત્તા, બહુશ્રુતત્વ, બુદ્ધિની કુશાગ્રતા કે વિશાળતાને વિશેષ મહત્વ આપતી નથી; પરંતુ એ સર્વ નિરર્થક છે એમ પણ સમજતી નથી. એટલું જ નહિ પણ તે જાણે છે કે, સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયા સિવાય તથા તે પિતાનું બન્યા સિવાય સૌંદર્ય તથા સામર્થ્યનું પૂર્ણત્વ પ્રાપ્ત થઈ શકશે નહિ. જગત તરફ જોયા પછી આશ્ચર્ય, ભય, કર્તવ્યમૂઢતા વગેરે વિકાર ઉત્પન્ન થતા હોય ત્યાં સમજવું કે ધર્મનિષ્ઠાનું સ્વરૂપ પૂર્ણ અવસ્થા પામેલું નથી. તાકિસાન ધર્મનિષ્ઠાને દેહ છે. ભાવનાની તેજસ્વી જ્યોતિ એ જ્ઞાનાત્મક દેહમાં વ્યાપી જાય છે તથા તેને પોતાની બનાવી લે છે એટલે આપણે એ અવસ્થાને “ધર્મ' સંજ્ઞા આપીએ છીએ. જેમ જેમ જ્ઞાનાત્મક દેહ વૃદ્ધિ પામતો જાય છે, જેમ જેમ ભાવનારૂપી ચિતયુક્ત પ્રાણ શુદ્ધ થતો જાય છે, તેમ તેમ ધર્મ શુદ્ધ, તેજસ્વી અને પાવન સ્વરૂપ ધારણ કરતા જાય છે. જગતની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org