________________
નીતિશાસપ્રવેશ નિત્ય હોય છે, કેટલાકને નથી હોતો. કહેવાનો હરકત નથી કે ઘણાખરાનો સમાવેશ બીજા વર્ગમાં થશે. આ વર્ગના લોકોમાં બે પ્રકાર છે. એક સંશયાત્મા કિવા વિસંગતાત્માને અને બીજે ઈદ્રિયનિગ્રહશૂન્યને. સંશયાત્માને અમુક ક્ષણ પૂરતો પણ વ્યવહાર માટે કંઈ ને કંઈ નિશ્ચય કરવો જ પડે છે અને એ અર્થમાં તે ક્ષણ પૂરતે તેને કંઈ પણ ધર્મ સ્વીકારવો પડે છે; તોપણ ક્ષણે ક્ષણે ધર્માતર કરનારને સ્વાર્થ લુપ ધર્મશૂન્ય કહીશું તે તેમાં કંઈ ખોટું થશે નહિ. આ લોકોને સ્વાર્થલેલુપ કહું છું પણ હું એવો ભાસ કરાવવા નથી ઇચ્છતો કે તેઓ અનીતિમાન કે નિંદ્ય હોય છે. તેઓ અસમાધાનના નરકમાં હોય છે અને તેમની સ્થિતિ શોચનીય હોય છે એ ખુલ્લું છે. પૂર્ણ ઈદ્રિયનિગ્રહ નહિ ધરાવનાર પરંતુ ધર્મશ્રદ્ધાવાન એવા લોકોની સ્થિતિ પણ ઓછી શોચનીય હોય છે એવું કંઈ નથી. જ્યાં સુધી જ્ઞાનગંગામાં સ્નાન થયેલું નથી હોતું, ત્યાં સુધી ઉભયના નસીબમાં નરક જ છે. કેવળ બૌદ્ધિક અથવા તાર્કિક જ્ઞાનમાં પાવન કરવાની શક્તિ નથી. એ તેજ તો ભાવનાગમ્ય તથા પ્રિય લાગવાના કારણે પિતાના બનાવી લીધેલા જ્ઞાનમાં જ છે. જેમને એવું જ્ઞાન પ્રાપ્ત થયેલું નથી, તેઓ જે સમાજે નિયત કરેલા નીતિનિયમનું પાલન કરતા હોય, તે તેમને નીતિનિષ્ઠ કહેવા જોઈએ અને જે પાલન ન કરતા હોય તે અનીતિનિષ્ઠ સમજવા જોઈએ.
અત્યાર સુધી આવા પ્રકારનું જે વિવેચન થયું છે, તે કોને કેટલે સુધી રુચશે તે કહી શકાય તેમ નથી. તો પણ તે તરફ લક્ષ નહિ આપતાં ધર્મનિષ્ઠાનું ઉચ્ચતમ સ્વરૂપ શું છે તેનું દિગદર્શન કરી કલમ બંધ કરવાનો વિચાર છે.
ઉચ્ચતમ ધર્મનિષ્ઠા સ્નાન સંધ્યાદિ બાહ્ય આચાર માટે કિંવા યજ્ઞોપવીતાદિ બાહ્ય ચિહ્ન માટે આગ્રહ રાખતી નથી; પણ એને અર્થ એવો નથી કે તે સર્વ રીતે બાહ્ય ઉપાધિને ત્યાગ કરે છે. જ્ઞાની સમજાતે જ હોવો જોઈએ કે, એ વસ્તુઓ દષ્ટાંત, શિસ્ત, સ્નેહબુદ્ધિ વગેરે દષ્ટિએ ઘણું ઉપયોગી છે. ધર્મતત્ત્વની દષ્ટિએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org