________________
ધર્મ અને નીતિ એક ધર્મમાં અંતર્ભાવ કરવામાં કંઈ ખોટું નથી; પણ જે હૃદયસ્થિતિ પરથી ધર્મ અધર્મ ઠરાવવો હોય, તે કહેવું જોઈએ કે તેને કોઈ ધર્મ નથી. તે નામમાત્રથી કોઈ પણ ધર્મને હો, ઉપર કહ્યા પ્રમાણે તેનું મન જગતના અર્થ માટે સંશયી હોય, તે જે વિશ્વરૂપદર્શનથી ગભરાઈ ગયા હેય, તે જે જગતને વ્યવહાર વેઠ ગણીને ચલાવતે હેય, તો વસ્તુતઃ તેનું હૃદય ધર્મશૂન્ય જ છે. હૃદયવૃત્તિમાં તત્ત્વતઃ જેમ ગોરી કે કાળી ચામડીથી, પાયજામાં કે ધેતિયાથી, કફની કે ઝભભાથી ફરક પડતો નથી, તેમજ કેવળ અટક સરખા ધર્મથી પણ તેની ખરી ધર્મ શૂન્યતામાં ફરક પડી શકતો નથી. એવા લેક ધર્મશૂન્ય હોય તેથી કેઈએ એમ ન સમજવું કે તે દુર્ગુણ હોય છે. એમાંના કેટલાકને સૌજન્ય, સરળતા, ઉદારતા વગેરે ગુણ વંઘ લાગતા હોય છે અને વ્યવહારદષ્ટિએ ખરેખર તેમનું આચરણ પણ નિર્દોષ હોય છે; પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં તેમના દિલમાં એવું જણાઈ આવશે કે, (તેઓ પોતે પણ કબૂલ કરશે) તેમની સૌજન્યાદિ ગુણ માટેની પૂજ્ય બુદ્ધિ સ્થિર નથી અને જે કે તેઓ અવળા માર્ગે નહિ ગયા હોય પણ તેમની દષ્ટિ કદી તે તરફ ગઈ ન હતી એવું કહી શકાશે નહિ. અસત સુંદરીના મોહને તે ભોગ બનતા નથી એ ખરું, પણ તેઓ છૂપી રીતે તેને નિહાળે છે; નિદાન તેમની દષ્ટિ તેના તરફ જાય છે જ એ પણ ખરું છે. તેઓ દુરાચાર કદી પણ નહિ કરે, ઇન્દ્રિયના દાસ નહિ બને, શ્રેય” અને “પ્રેય” વચ્ચે ઝઘડો થતાં શ્રેયને જ સ્વીકાર કરશે; દુનિયા ખૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ” એ વાત વારંવાર અનુભવમાં આવતી હોવાથી સત્ય કે દેશહિત ખાતર અભિમાનથી જે ઇંદ્રિયનિગ્રહ કરવામાં આવે છે, સ્વાર્થને તિલાંજલી અપાય છે, સુખને જીવ દુઃખમાં નખાય છે, તે સર્વ મૂકનારી દુનિયામાં - પાપપ્રચુર, બાહ્યતઃ નિરીશ્વર જણાતી, બંળયાના બે ભાગને ન્યાયે ચાલનાર દુનિયામાં – નિરર્થક કે મૂર્ખતાભર્યું છે કે શું એવી શંકા તેમના મનના એક ખૂણામાં હમેશ લપાઈ રહેલી હોય છે; અને તેમની મનોવૃત્તિમાં તેની છાયા જણાઈ આવ્યા સિવાય રહેતી નથી. પછી ભલેને તે સૂક્ષ્મપણે હશે. નીતિનિક માણસમાં પવિત્રતાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org