________________
ધર્મ અને નીતિ
૫૪૭ જગતના સૌંદર્યમાં વૃદ્ધિ કરનાર, કુરૂપતા ઓછી કરનાર અને પૃથ્વીને સ્વર્ગનું રૂપ આપવા ઇચ્છનાર બુદ્ધિને જે તદ્દન નકામી ઠરાવવાની ન હોય, તે કિંમત વગરની નથી એમ નિશ્ચિત હોય અને તે ફસાવતી નથી એવી જે ખાતરી હોય, તો જગતમાં કંઈક યોજના, અર્થ, અભિપ્રાય, સાધ્ય અને ધ્યેય છે એવું અનુમાન કરવું એ અધિક સયુક્તિક છે.
- ઇંગ્લંડના માજી વડા પ્રધાન આર્થર જેમ્સ બાલ્ફર રાજકારણુપટુ તો છે જ; પણ તે મોટા ચિકિત્સક તથા માર્મિક તત્ત્વશોધક પણ છે. તેમણે “Theism and Humanism” નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. તેમાં ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાને જે કેટીક્રમથી પ્રયત્ન થયે છે તે ઉક્ત અર્થ સ્પષ્ટ કરી બતાવવાને સમર્થ છે. તેથી ‘નીતિશાસ્ત્ર પ્રવેશ માં (જુઓ. પૃ. ૪૭) તેનું જે દિગદર્શન કર્યું છે, તે જોવા જેવું છે.
નૈતિક અસમાધાન કેટલાક કહે છે કે, નૈતિક અસમાધાન એ ધર્મનું મૂળ છે. તાર્કિક બુદ્ધિ કારણપરંપરાના માર્ગે જતાં જતાં થાકી જાય છે ત્યારે એક “આદિકારણ” માનીને તે જેમ પોતાનું સમાધાન કરી લે છે, તેમજ અહિક અનુભવથી અસંતુષ્ટ બનેલી નૈતિક ભાવના અને આકાંક્ષાનું સમાધાન થાય તે સારું લેકે પરલોક અને પરમેશ્વર માનવાને પ્રવૃત્ત થાય છે. નૈતિક દૃષ્ટિએ જે ન્યાય, સમતા અને સહૃદયત્વ વાસ્તવિક રીતે આ જગતમાં દૃષ્ટિએ પડવું જોઈએ તે દષ્ટિએ પડતું નથી ત્યારે નૈતિકભાવના અને આકાંક્ષાને એવી શંકા થવા લાગે છે કે, પિતે “નીતિ'ની ગમે તેવી ઘેલછાને વળગી બેઠી છે કે શું? પણ સાધારણ રીતે આ શંક વિશેષ વખત ટકી રહેતી નથી. ઘડીભરને માટે આ શંકાનું નિવારણ કરનાર એક એ વિચાર સૂઝે છે કે, અહિક અનુભવમાં ન્યાય, સહૃદયત્વ વગેરેનું ઉલ્લંધન થતું જણાતું હોય તે પણ જગતચાલાક સર્વજ્ઞ પરમશક્તિને અન્યાયી કે દુષ્ટ કહેવી એ યોગ્ય નથી. કારણ કે, એ જગન્નાયક પરમશક્તિને આ કાળને જ કે આ લોકને જ ફક્ત વિચાર કરવાનું છે એવું કંઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org