SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૯ કાર્યકાર્યવ્યવસ્થા (આ) રા. રા. સંપાદક “ધર્મજાગૃતિ' વિ. વિ. “કેસરી'માં કાર્યઅકાર્ય વ્યવસ્થા વિષે મારા પ્રસિદ્ધ થયેલા લેખ માટે આપના માસિકના સપ્ટેમ્બરના અંકમાં કેટલાક વિચાર પ્રકટ થયા છે તે સંબંધમાં નીચે લખેલી હકીકતને સ્થાન આપશે. બે કર્તવ્ય વચ્ચે ભાંજગડ પડતાં શું કરવું એવી ભાષા મેં વાપરી છે તે સદોષ છે એમ આપનું કહેવું છે; પણ ભાષાને પ્રશ્ન ગૌણ છે. આપ કહે છે કે, “કર્તવ્ય” એક જ હોય છે; અનેક નહિ. કબૂલ. એક જ હોય છે તેથી જ પંચાત ઉત્પન્ન થાય છે ને! મુખ્ય પ્રશ્ન એ છે કે, ખરું કર્તવ્ય કયું અને આભાસાત્મક કયું તે કયા તત્ત્વોનુસાર નક્કી કરવું ? બીજો પ્રશ્ન એ છે કે આ પ્રશ્નનો ઉત્તર ગીતામાં છે કે નહિ ? સ્વભાવનિયત, સ્વભાવ, સહજ કર્મ કરવું એમ ગીતામાં કહેલું છે. “સ્વધર્મ સારો, પિતાનો સ્વભાવે ઓળખીને વર્તવું, પોતાની પ્રકૃતિ બ્રાહ્મણવૃત્તિની, ક્ષત્રિયવૃત્તિની કિવા કેવી છે તે જઈ તે પ્રમાણે “સ્વકર્તવ્ય કિવા “સ્વધર્મ નક્કી કરવો વગેરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy