________________
નીતિશાસ્ત્રપ્રવેશ કિંવા વસ્તુને છાયા સમજવા જેવું છે. એ પ્રેમ છે કે સત્ય છે પણ તેને સો વર્ષમાં અત્યંત નાશ થવાનો છે – એ કે કેઈને કેઈનું પુનઃ દર્શન થશે નહિ, એટલું જ નહિ પણ કોઈને કોઈનું સ્મરણ પણ રહેવાનું નથી, – એ તત્ત્વ યુક્તિવાદથી ગમે તેટલું સપ્રમાણ સિદ્ધ કરવામાં આવે પણ તે માનવી હૃદયને ભાગ્યે જ રુચે તેમ છે. એવું કઠોર, ક્રૂર તવ માનવા કરતાં સૃષ્ટિનું રહસ્ય માનવી બુદ્ધિથી ઊકલી શકે તેમ નથી, – કેટલાંક તત્વ માનવ બુદ્ધિથી અગોચર છે – એમ કહેવું અને આત્મા અમર છે એ તત્ત્વને બેધડક ખરું માનવું, એમ જ સામાન્ય માણસ કહેશે. આમ થાય તો તેમાં કંઈ ખોટું પણ નથી. સર્વ જ વાત કંઈ માનવબુદ્ધિની મર્યાદામાં રહેલી નથી. જેમ માનવદષ્ટિને કેટલાક દૂરના તારા કિંવા નજીકના સૂક્ષ્મ વસ્તુ દેખાતી નથી, તેમ ઘણું તાત્ત્વિક વાત પણ માનવબુદ્ધિને સ્પષ્ટપણે જણાતી નથી, પરંતુ તેટલા ખાતર તે ખોટી છે એમ કહેવાય નહિ. તેવી જ રીતે વિચાર કરીએ તે કયું ઉચ્ચ તત્વ માનવી બુદ્ધિથી ગ્રાહ્ય ઠરાવી શકાશે? દેશાભિમાન ઉત્તમ ગુણ હોવાની દુષ્ટ માણસને અનુમાનાદિ પ્રમાણથી કોણ કેવી રીતે ખાતરી કરાવી શકશે? પપકાર કરવાનું તત્ત્વ કઠેર હદયના માણસ પાસે બુદ્ધિવાદથી માન્ય કરાવવાની હિંમત કેણ કરી શકશે? ઈશ્વર હોવાની કાણ કાના તાર્કિક પ્રમાણથી ખાતરી કરાવી શકશે? દૂરબીન કિંવા સુહમદર્શક યંત્રથી ઈશ્વર જાણતો નથી, આધિભૌતિક શાસ્ત્રની દષ્ટિએ સૃષ્ટિનિયંતા જેવો લાખે પશુપક્ષી વગેરેને મારનાર નિર્દય, ખૂની, અનતિમાન દેવ નથી; એ જ દષ્ટિએ જોતાં માણસ એક પ્રકારને વાંદર જણાય છે, જીવનકલહમાં જેણે તેણે પોતાને પ્રાણ બચાવી લેવો એ જ સૃષ્ટિનો ન્યાય જણાય છે, બળિયાના બે ભાગનું તત્ત્વ જ ઇતિહાસ શીખવે છે વગેરે વાત કે ખરી હશે, પણ સાત્ત્વિક પ્રવૃત્તિને માણસ પ્રેમ, પરોપકાર, સદાચાર, નિરભિમાનતા વગેરેને અધિક પૂજ્ય માને છે. એટલે એને અર્થ એવો છે કે, જગતનિયંતાની, આધિભૌતિક શાસ્ત્રની અને ઇતિહાસની સાક્ષીને માન ન આપતાં સાત્ત્વિક માણસ પોતાના કેમલ હદયની– પિતાની સદભિરુચિની – પિતાની રાધિરહિણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org