________________
નીતિશાસ્ત્રપ્રવેશ કિંવા માર્મિકતાથી સમજાય છે. આવી રીતે જ્ઞાનને વિસ્તાર અને વિકાસ થયા પછી પૂર્વે જેમને ખાનપાન સિવાય અન્ય કંઈ સૂઝતું ન હતું તેમાંના કેટલાકને રાજ્ય એટલે શું, તેની આવશ્યકતા શા માટે છે, તે કોણ ચલાવે છે, કેવી રીતે ચલાવે છે, એ પદ્ધતિ આપણને ઠીક લાગે છે કે કેમ, એ પદ્ધતિથી સવગે આપણી આત્મોન્નતિ થશે કે કેમ એવા એવા વિચાર સૂઝવા લાગે છે. ઈંગ્લાંડમાં ઈ. સ. ૧૮૩૨માં પાર્લામેંટે સુધારાને ખરડો પસાર કર્યો તે પહેલાં કેટલાંક વર્ષ સુધી ઉચ્ચ દરજજાના મજૂરોને, કારકુનેને તથા એવા જ અન્ય જનેને એવા જ વિચાર થતા હતા. અત્યાર સુધી તેમના આત્માનાં જે અંગે સુપ્ત હતાં તે જાગ્રત થયા પછી તેમની આકાંક્ષા વધી અને રાજ કર્તાએ તેનું સમાધાન પણ કર્યું. વખતોવખત આવી રીતે સમાધાન કરવામાં આવે છે તે તે રાજ્ય એટલે સુધી પ્રિય બને છે કે, લકે તે માટે પ્રાણત્યાગ કરવા પણ તૈયાર થાય છે. પછી તેઓ કહેવા લાગે છે કે અમારા રાજ્યનાં બંધનો અમારી આત્મોન્નતિ શક્ય બનાવે છે, તેમ તેના વિના અમારો ખરો અંતરાત્મા સંતોષ પામતો નથી માટે જ એ બંધને અમને પસંદ છે.
ઈગ્લાંડની ગત મહાયુદ્ધ વખતની સ્થિતિ વિચારીશું તે સમજાશે કે મોટા અમીર ઉમરા, મજૂર, અરે સ્ત્રીઓ અને બાળકે પણ વિજય મેળવવા સહાય કરવા તત્પર થયાં હતાં. કંઈ કારણ? તેમને લાગતું હતું કે આપણી જે રાજપદ્ધતિ છે તે જ ધર્મ, સૌજન્ય, કલાકૌશલ્ય વગેરેને પોષનારી છે, તેથી જે એવી ઉત્તમ રાજપદ્ધતિને જગતમાં અપમાનિત થવા દઈશું તે રાષ્ટ્રનું જેમ તૂટશે અને પરંપરાએ આપણી આત્મિક ઉન્નતિને પ્રવાહ અટકી પડશે, નિદાન તેમાં વિધનો તો આવશે જ; માટે જે આપણને આપણી તેમજ રાષ્ટ્રની પ્રગતિ જોઈતી હોય તે દેહપ્રેમ ધારણ કરનાર એકાંગી આત્માને વખત આવ્યે ભોગ આપવાને તૈયાર રહેવું જોઈએ. વાત એ છે કે, રાષ્ટ્રનાં બંધનો જ નૈતિક વિકાસને કારણભૂત બને છે અને તેથી જ તે મીઠાં લાગે છે. રાજા પદ્ધતિમાં ફેરફાર થવાનું પણ કારણ એ છે કે ફેરફાર કરનારને લાગતું હોય છે કે, એ ફેરફાર આત્મિક ઉન્નતિને અધિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org