________________
નીતિશાસ્ત્રપ્રવેશ તો શું આપણને વિશેષ સ્વતંત્રતા મળેલી ન ગણાત? કોઈ પણ રાજપદ્ધતિ તરફ જુઓ. તે પ્રત્યેક સ્વેચ્છાચારને તે અટકાવે જ છે. પરંતુ એ પ્રતિબંધ કરનારી રાજપદ્ધતિ મનુષ્યમાત્ર ઈચ્છે છે. સ્વેચ્છાચાર ચલાવવા દેવાની અરાજકતા તેમને રુચતી નથી. એમ હેવાનું કારણ? ઉત્તર એટલે જ છે કે, છોચારથી આત્માને સમાધાન મળતું નથી એ માણસમાત્રના અનુભવની વાત છે. મનુષ્યનો આત્મા કેવળ વાસનામય નથી. તે સુખની માફક જ સૌજન્યને ઈચછે છે અને લલિતકલા તેને પ્રિય હોય છે. પ્રત્યેક માણસ મન:પૂર ચાલવા માંડે તે આત્માની સર્વાગે ઉન્નતિ થઈ શકે નહિ એ અનુભવથી સમજાઈ જ ગયેલું છે. આત્માની સર્વાગનું તે શું પણ ઈદ્રિયસુખ શોધનાર અંગનુંયે અંધેર નગરીમાં સમાધાન થતું નથી. કોઈ કેઈન શાસ્તા રહે નહિ, કઈને કંઈ બંધન રહે નહિ, વિધિનિષેધનું નામ ન રહે, મનને ગમે તે કરવું, એવા નિયમ કરે તે વ્યાપારને સ્થાન ક્યાં, બંગલા, વાડી વજીફાનું દર્શન ક્યાં, કળાકૌશલ્યનું દશ્ય કયાં, બાર, બગીચા, નાટકતમાસા ક્યાં, અરે આ સર્વ સરળ વ્યવહાર ક્યાંથી ટકી શકે? અઢાર ઈચની તેપ કોઈ શહેરને નાશ કરી દે તે ચાર વર્ષમાં પ્રથમના કરતાં પણ સુંદર શહેર રચી શકાય, પરંતુ મનઃપૂતં સમારેત્ મંત્રને પ્રત્યેક માણસ જપ જપવા માંડે તો પછી કોઈ પણ શહેર કેવળ ચાર કલાકમાં અતિ ભયાનક બની જાય, લોહીની છોળો ઊછળવા લાગે, શબથી રસ્તા ભરાઈ જાય અને ચાર કલાકના તપના મારાથી જે ભયંકરતા નજરે પડે તેથી અધિક ભયાનક સ્વરૂપ પ્રાપ્ત થઈ તે શહેરમાં નજર નાખવાની સવડ રહે નહિ!
આવી અવસ્થામાં રહેવા કરતાં માણસ સ્વેચ્છાચારપ્રવૃત્તિનું કંઈ નિયમન કરવા તત્પર થાય એ સ્વાભાવિક છે * હવે કઈ પ્રવૃત્તિનું કેટલું અને કોણે નિયમન કરવું એ પ્રશ્નને સ્થાન મળે છે; પણ નિયમનની આવશ્યકતા તે સિદ્ધ થઈ છે જ.
* અંગ્રેજીમાં “ contract Theory of the origin of a state.” જે ઉપપત્તિને કહેવામાં આવે છે તેનું અત્રે સમર્થન કરેલું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org