________________
ધર્મશાસ્ત્રને ભલે અનુકૂળ હોય, નીતિમીમાંસાને એ અનુકૂળ નથી જ. એને તે માત્મનઃ તુષ્ટિ વગર ચેન પડે જ નહિ.
મારું સ્પષ્ટ માનવું છે કે આવી નીતિમીમાંસા માણસની કેળવણીનું એક ઉત્તમ સાધન છે. બાળપણમાં નીતિનું શિક્ષણ ભાવના દ્વારા, લાગણીઓ દ્વારા અને આચરણ દ્વારા આપવું એ જ યોગ્ય છે. પણ એ રીતે હૃદય અને જીવનમાં સંસ્કારો દૃઢ થયા પછી જ્યારે મીમાંસાબુદ્ધિનો ઉદય થાય છે, ત્યારે ન્યાય, સમાજહિત અને આત્મવિકાસની દૃષ્ટિએ એકેએક રિવાજ અને માન્યતાનો ઊહાપોહ થવો જ જોઈએ, જેથી માણસ વ્યક્તિગત તેમજ સામાજિક જીવનનો પાયો શું છે એ જાણી લઈ એને મજબૂત કરી શકે છે. મુરબ્બી ભાટેએ કહ્યું છે કે, આ નીતિશાસ્ત્ર પ્રવેશ કૉલેજની કેળવણીમાં પાઠ્યપુસ્તક તરીકે ઉત્તમ કામ આપશે, એ વાત તો સાચી છે જ; પણ હું માનું છું કે દરેક સંસ્કારી વ્યક્તિના જીવનમાં જીવનપ્રવેશ તરીકે આવી ચોપડીનું અવલોકન, તેમજ આ વિષયનું અધ્યયન આવશ્યક ગણાવું જોઈએ.
વામનરાવ તર્કવાદી છે, બુદ્ધિઉપાસક છે, શંકાઓ ઉઠાવવામાં અને અનેક બાજુથી વિચાર કરવામાં કુશળ છે. જે પ્રમાણમાં માણસ શંકાવીર હોય તે જ પ્રમાણમાં જે એ પ્રયોગવીર ન હોય, તે એ નિર્ણયકુશળ ન થઈ શકે. માટે આવી ચેપડીઓ સાથે વિદ્યાર્થીઓનું અધ્યયન સમાપ્ત ન થવું જોઈએ. ખીંટીઓ હલાવી હલાવીને પાયામાં નબળાઈ ક્યાં છે એ આપણે તપાસીએ છીએ કેમકે આપણે નબળાઈનું જોખમ ખેડવા નથી માગતા; પણ ખીંટી જેમ વધારે હલાવીએ તેમ તેના માથા ઉપર હથોડાના પ્રહાર કરી કરી એને મજબૂત કરવી ઘટે છે, ખીંટી હલાવીને ઢીલી કરે અને હથેડાના પ્રહાર કરવાની બાબતમાં ગફલતમાં રહે, તે એવા કારીગરે પોતાનું કામ કુશળતાથી કર્યું એમ કોઈ કહે નહિ. જમીન ખેડે તે જ વાવે નહિ, તે તે પાપ કરે છે; વાવવું હોય તો જ ખેડાણ કરાય, એ આપણો જૂનો આદર્શ બૌદ્ધિક ખેડાણને પણ બરાબર લાગુ પડે છે.
આ ચેપડીમાં ખેડાણ તે સુંદર છે જ. જેટલી વાવણી એમાં કરી છે તેટલી સુંદર થઈ છે; પણ નીતિશાસ્ત્રપ્રવેશમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org