SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ નીતિશાસ્ત્ર પ્રવેશ નિંદાપ્રશંસક ટીકાનો પ્રથમ ગૃહીત સિદ્ધાંત છે. એ ગૃહીત સિદ્ધાંત પર ઘા કરનાર ઉપર દર્શાવેલ મત નીતિશાસ્ત્રન. મૂળમાં ઘા કરે છે, એમ કહેવાનો હરકત નથી. મૂળમીમાંસા / મૂલ્યમીમાંસા” પર અસર થવી જ જોઈએ. હા, એટલું ખરું છે કે, આધિભૌતિક શાસ્ત્રનું કે માનસશાસ્ત્રનું વિવેચન કરવામાં આમાનું અસ્તિત્વ પણ ભૂલી જનાર જડવાદી સુધાં વ્યવહારમાં અનીતિમાન હોય છે જ એવું કંઈ નથી દેતું. આત્મા નમક સ્વતંત્ર પદાર્થ છે એમ નહિ માનનાર અનામવાદી પણ વ્યવહારમાં નીતિદષ્ટિએ અન્યની નિંદા, પ્રશંસા વગેરે કરે છે જ –એટલે કે કોઈ કર્મના કતોને પિતાને કૃત્ય માટે તે જવાબદાર ગણે છે! પણ એવા પ્રકારની વિસંગતિ શક્ય હોય તો પણ તેને ન્યાયશાસ્ત્રની દષ્ટિએ દેવાઈ જ સમજવી જોઈએ. બીજું એ કે, તાત્વિક અનાત્મવાદ બધાને માફક જ આવે છે એવું કંઈ નથી. અનુભવ પરથી જણાય છે કે, કેટલાક માણસોની નીતિમત્તા ઉપર તેની અસર થવાને વિશેષ સંભવ છે. સર્વ લેક પિતપોતાનું જ સુખ જુએ છે, બીજું કંઈ નહિ એ તત્ત્વ; કિંવા નીતિકલ્પન: કાલસ્થલપરત્વે બદલાય છે, તેમાં નિત્ય કિંવા સત્ય એવા અંશ કંઈ નથી, એ તત્ત્વ; કિંવા મનુષ્ય સશે પ્રકૃતિને સ્વાધીન છે, એ તત્ત્વ; કિંવા એવાં જ અન્ય તત્ત્વ માનસશાસ્ત્ર શીખવવાની શરૂઆત કરે, ત્યારે નીતિશાસ્ત્રને તે સર્વ વિના હરકતે સાંભળી રહેવા કહેવું એટલે ઝેર પાવામાં આવે તે ચૂપકીથી પી જવું.” એમ કહેવા જેવું છે. નીતિશાસ્ત્રના તાત્ત્વિક વિવેચનમાં માનસશાસ્ત્રનાં તવે. અનિવાર્યપણે કેવી રીતે આવે છે તે ઉપર બતાવ્યું છે જ. વિદ્યાથી કિંવા સમાજને નીતિતત્ત કેવી રીતે ક્યારે અને કે શીખવવાં, એ વ્યવહારિક પ્રશ્ન વિષે તે માનસશાસ્ત્રને ઉપદેશ ઘણો જ ઉપયોગી છે. નીતિ કેવળ જ્ઞાનને પ્રશ્ન નથી; નીતિ શાબ્દિક શિક્ષણથી આચારમાં આવતી નથી; તેનો આધાર સત્સંગ, સારી ટેવ, વગેરે ઉપર રહેલું છે, ચારરતિ એgeતત્તર તો નન: શ્રદ્ધામાsત્રે પુરુષ ના વરદ ૩ ga : ધર્મવિહિત કર્મ કરતાં કરતાં ધીમે ધીમે અંતઃશુદ્ધિ થતી જાય છે એ અને એવાં એકથી અધિક માનસશાસ્ત્રનાં અનેક તત્તને ધ્યાનમાં ન રખાયાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy