________________
છત્રીશી : ૨૨-૨૩
પેલા રાજાને ગામ આવી. ત્યાં ધીરે ધીરે ગામમાં પોતાના શીલનું રક્ષણ કરવાપૂર્વક તે દરેકનો પરિચય સાધવા લાગી. તેની આવડતને લીધે ભલભલા તેના ઉપર મોહી પડતા, અને તેને વશ થઈ જતા. તેની પાસે હવે ધનની પૂરી છૂટ હતી અને બુદ્ધિ પણ સ્વચ્છ હતી એટલે કાંઈ વાંધો ન હતો.
ફોજદાર, ન્યાયાધીશ, મંત્રી અને રાજા સુધી તેની મુલાકાતો થવા લાગી. અવારનવા૨ તેઓ તેની પાસે આવવા લાગ્યા અને ન છાજતી માગણીઓ કરવા લાગ્યા. દરેકને તે સતી પોતાને હમણાં એક વ્રત ચાલે છે ત્યાં સુધી થોભી જાવ – કહીને કલ્પનાસૃષ્ટિમાં ફેરવવા લાગી. એ દરમિયાન રાજાની પટરાણીનો પણ તેણે પરિચય વધારી મૂક્યો. અવારનવાર પોતે ત્યાં જાય અને મહારાણી પણ પોતાને ત્યાં આવે એટલે સુધીનું સખ્ય સાધી લીધું. કોઈથી પણ ન ડરતો રાજા એક મહારાણીથી ડરતો હતો તે પણ તેણે જાણી લીધું. વચગાળામાં રાજાને મહેલે જઈને તેના કબાટોમાંની ચીજો જોતાં દૂધનો શીશો અને કમળફૂલ જોયું ને તે બન્ને રાજા પાસેથી યુક્તિપૂર્વક લઈ લીધાં. એક દિવસ જેલમાંથી પોતાના પતિને પણ ખૂબીથી છૂટો કરાવ્યો અને પોતાના આવાસે લઈ જઈને વિગતવા૨ે બધી વાત કરીને દૂધ અને ફૂલ બતાવ્યાં. સારી રીતે સેવા કરીને તેને સ્વસ્થ કર્યો. બધી રીતે પોતાનું કાર્ય હવે પતી ગયું છે, જાણીને તેણે પોતાના ગામ તરફ જવાની તૈયારી કરી; પણ આ બધાને (કામીઓને) ઠેકાણે લાવવા જોઈએ એમ તેના મનમાં થયું. એક મુક૨૨ દિવસે ફોજદારને પહેલે પહોરે, ન્યાયાધીશને બીજે પહોરે, દીવાનને ત્રીજે પહોરે અને રાજાને ચોથે પહોરે પોતાને ત્યાં આવવાનું તેણે કહ્યું. બધા બનીઠનીને અનુક્રમે આવવા લાગ્યા. પહેલે પહોરે ફોજદા૨સાહેબ પધાર્યાં. તેમનું સતીએ સ્વાગત કર્યું અને વાતવાતમાં પહોર વિતાવી દીધો. ત્યાં તો ન્યાયાધીશસાહેબ પધાર્યા અને બારણું ઠોકવા લાગ્યા. ફોજદારસાહેબ ગભરાયા અને પોતાને છુપાવવાનું કહેવા લાગ્યા. તેમને પાણીઆરામાં સુવરાવીને તેના ઉપર હાંડા ગોઠવીને ઢાંકી દીધા. પછી ન્યાયાધીશનું સ્વાગત કર્યું અને બીજો પહોર પૂરો કર્યો ત્યાં તો દીવાનસાહેબે દ્વાર ઠોક્યું ને ન્યાયાધીશ ગભરાયા. પોતાને ક્યાંક છુપાવવા માટે તે કરગરવા લાગ્યા. એક મોટી દીવીની જગ્યાએ તેમને ઊભા રાખ્યા ને મેશથી રંગીને માથે દીવો મૂકી દીધો. દીવાનસાહેબના સ્વાગતમાં ત્રીજો પહોર પૂરો થયો ત્યાં રાજાસાહેબ પધાર્યા અને દીવાનસાહેબ જાણે
Jain Education International
For Personal & Private Use Only
૮૫
www.jainelibrary.org