________________
૭૬
હિતશિક્ષા
બીજાની દરકાર રાખ્યા વગર સૌથી પહેલા–વગર કારણે-પોતે આરોગી લેતી સ્ત્રી કાંઈ સોનું-રૂપું ખાતી નથી કે કાંઈ પેટમાં જરૂર હોય તેથી વધારે ખાતી નથી, છતાં તેના પ્રત્યે આ તો ખાઉધરી છે એ પ્રમાણેની અરુચિ બધાંને થાય છે. બધાંને જમાડ્યા પછી જમે તેમાં કાંઈ સ્ત્રી ભૂખે મરી જતી નથી અને બધાંનો સદ્ભાવ મેળવે છે. કદાચ એ સદૂભાવને માટે થોડું સહન કરવું પડે તો તે કાંઈ વધુ પડતું નથી. વ્રત-નિયમને કારણે સ્ત્રીને રાત્રિ ન પડે એટલે વહેલું જમી લેવું પડે એ જુદી વાત છે. બાકી તો બધાંને જમાડ્યા પછી જમવાની જો ટેવ પડી જાય તો પહેલાં જમવું ફાવે નહિ અને બધાંના પ્રેમનો લાભ સહજ મળતો જાય. એટલે સ્ત્રીએ ઘરનાં બધાંને જમાડીને જ જમવાની આદત પાડવી એ ગૃહસ્થાશ્રમને દીપાવનાર ઉત્તમ ગુણ છે.
વીસમી કડીમાં એક શિખામણ નીચ સાહેલીનો સંગ ન કરવાની આપી હતી. આ એકવીસમી કડીમાં કેટલીક સ્ત્રીઓ એવી છે કે જેનો પરિચય કરવાનો પ્રસંગ સ્ત્રીઓને અવારનવાર થયા કરે છે, પણ તેમાં બહુ સાવધ રહેવા જેવું છે. એ પરિચયમાંથી જો સંગ વધ્યો તો સદાચાર પૂરા જોખમમાં આવી પડે છે એમ સમજી લેવું. તે સ્ત્રીઓ કઈ છે ને તેના સંગથી શું થાય? તે સમજાવતી હિતશિક્ષા આ પ્રમાણે છે.
૧
ધોબણ માલણ ને કુભારણ, જોગણ સંગ ન કરીએ જી; સહેજે કોઈક આળ ચડાવે, એવડું શાને કરીએ : ૨૧
સુણજો સજ્જન રે.
ધોબણ માળણ, કુંભારણ અને જોગણનો સંગ કરવો નહિ – આ એક જ શિખામણ સ્ત્રી-જીવનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ શિક્ષાની વિરુદ્ધ વર્તન કરનાર સ્ત્રી કુળ-પરંપરાગત મળેલા સગુણના વારસાને ગુમાવી બેસે છે, જીવનને કલંકિત કરી મૂકે છે અને અવળે રસ્તે ચડી જઈને છેવટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org