________________
છત્રીશી: ૧૬-૧-૧૮
૬૫
[૬૧]
સામે પૂરે તરવું નહિ – નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તે ભયંકર જણાય છે. તેમાં સામે પૂરે તરનારા નાશ પામે છે. સામાન્ય રીતે અનુકૂળ પ્રવાહે તરવું એ હિતકર છે. સામે પ્રવાહે તરવાથી શક્તિનો દુર્વ્યય થાય છે. નદીમાં તરવાને હિસાબે આ વાત થઈ, બાકી વિશ્વમાં અનેક પ્રવાહો વહેતા હોય છે, તેમાં પોતાને અનુકૂળ પ્રવાહ હોય તેમાં ખેંચાવું પણ પ્રતિકૂળ પ્રવાહ તરફ જવું નહિ. દુનિયામાં રહીને સામે પ્રવાહે જનારા આત્માને ઘણું સહન કરવું પડે છે. છતાં પણ જો સામે પૂરે તરવાનું મન થતું હોય તો એવી રીતે તરવું કે જગત જોતું રહે ને તરનારો તીર ઉપર જઈને મહાલે. સંસારના પ્રવાહો જો આત્માને અવળે માર્ગે ખેંચતા હોય તો તે વમળમાંથી નીકળી જઈને સામે પૂરે તરવું તેમાં બહાદુરી છે. એ રીતે તરી જનારો જગતને વંદનીય બને છે. એ અદ્દભુત કાર્ય કરી બતાવે છે. એક અચરિજ પ્રતિસ્રોતે તરતાં, આવે ભવસાયર તટમાં' એ વચનનો ખરો મર્મ સામે પૂરે તરી જાણનારો જ જાણે છે. અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકામાં વિહરતા આત્માને માટે જ્ઞાનસાર અષ્ટકમાં કહ્યું છે કે –
લોકસંજ્ઞા મહાનધામનુશ્રોતોડનુગા ન કે /
પ્રતિશ્રોતોનુગર્તકો, રાજહંસો મહામુનિ | ૨૩-૩ || લોકસંજ્ઞા – લોકો ચાલે તેમ ચાલવું - લોકપ્રવાહ એ મહાનદી છે ને તેમાં અનુકૂળ પ્રવાહે તરનારા કોણ નથી? અર્થાત્ બધા અનુકૂળ પ્રવાહની પાછળ ખેંચાય છે. પ્રતિકૂળ પ્રવાહે તરનાર તો એક મહામુનિ રાજહંસ છે. રાજહંસ સામે પૂરે જાય છે. ચિત્રાવેલી વનસ્પતિને માટે પણ કહેવાય છે કે તે નદીમાં મૂકીએ તો સામે પૂરે જાય પણ પૂરની પાછળ ખેંચાય નહિ.
- આમ સંગનો ત્યાગ કરીને લોકપ્રવાહથી દૂર થવું ને વિશ્વની પરવા કર્યા વગર પોતાના આત્માના હિતમાં જ તત્પર રહેવું. એવું જો સામે પૂરે તરવાનું આવડી જાય તો બેડો પાર થઈ જાય. બાકી જો એવું ન આવડે, લોકસંજ્ઞા હૃદયમાં બેઠી હોય-વ્યવહારની ગણતરીઓ ગણાતી હોય, જગતની નિંદાનો ડર હોય-પ્રશંસાની પૂર્ણ ઇચ્છા હોય તેણે સામે પૂરે તરવાનું સાહસ કરવા જેવું નથી. યોગ્યતા કેળવીને તરે તો તરી જાય. નહિ તો ક્યાંનો ક્યાંય ઘસડાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org