SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી: ૩૨ ૧૨૩ પહેલાં તો તે નિયમો લીધા છે, ને આ શું? પણ તે ગણકારે તો ને! કેટલાક દિવસો બાદ ફરી તેને લઈને મિત્રો મુનિરાજ પાસે ગયા. મુનિરાજે ઉપદેશ આપ્યો. મિત્રોએ કહ્યું કે મહારાજ સાહેબ! આપના આપેલા નિયમોમાંથી એક પણ નિયમ આ ભાઈ પાળતા નથી. મહારાજશ્રીએ કહ્યું કે – “ભાઈ! નિયમ લઈને તોડવાથી ઘણું પાપ લાગે છે, માટે નિયમ લઈને પાળવા જોઈએ.' પેલા ભાઈએ કહ્યું કે “મહારાજશ્રી, આપશ્રી કહો છો તે સત્ય છે – પ્રમાણ છે, પણ મેં કોઈ નિયમ લીધો જ નથી, લીધો હોય તો તૂટે ને?” મુનિશ્રીએ આ સાંભળીને કહ્યું કે ભાઈ! આવું જૂઠું બોલે છે? તે દિવસે તેં કેટલા નિયમો લીધા હતા?” તેણે કહ્યું કે મહારાજશ્રી ! આપ કહો છો તે બરાબર છે, પણ મેં નિયમો લીધા ન હતા, “મને નિયમો આપો” એ જે મેં કહ્યું હતું તે તો અસત્ય કહ્યું હતું. કારણ કે “જૂઠું ન બોલવું એવો નિયમ હું કદી પણ કરતો નથી. આપને પણ મેં તે જણાવ્યું છે. મહારાજશ્રી સમજી ગયા ને તેને ઉપદેશ દેવાનો પ્રયત્ન છોડી દીધો. આમ એક જૂઠું બોલનાર માણસ કદી પણ સુધરી શકતો નથી. તેનાં દૂષણોની પરંપરા ચાલુ જ રહે છે. કારણ કે તે સત્ય કહે તો તે સુધરે ને? બીજા દુર્ગુણોની જેમ જૂઠું બોલવાનો દુર્ગુણ બાલ્યાવસ્થાથી ઘર કરી જાય છે, પછી તે દૂર કરવો ભારે થઈ પડે છે. કેટલાંક અસંસ્કારી માતાપિતાઓ બાળકને જૂઠું બોલવાની ટેવ પડાવે છે. ને પછી વખત જતાં બાળકની તે ટેવ પોતાને જ ભારે થઈ પડે છે. માણસ ક્રોધથી, ભયથી અને હાસ્યથી અસત્ય બોલે છે. જ્યારે જ્યારે જૂઠું બોલવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે જો તેનાથી બચવું હોય તો ઉપરનાં ચારમાંથી કોઈ પણ કારણ જરૂર તેના મૂળમાં હોય જ છે. તે તપાસીને તે કારણ દૂર કરી દેવું. કારણ દૂર થાય પછી જૂઠું બોલવાનું નહિ રહે અને કારણ હશે ત્યાં સુધી અસત્ય ખસશે નહિ. એક જૂઠું સો જૂઠાણાં ઊભાં કરે છે. એ સર્વ જૂઠાણાને જન્મ આપવા માટે ઘણી શક્તિનો દુર્વ્યય કરવો પડે છે. જ્યારે સત્ય બોલનારને એવું કાંઈ કરવું પડતું નથી. તેને તો ગમે ત્યારે એકસરખું કહેવું છે એટલે તેને બીજી કોઈ મૂંઝવણ રહેતી નથી. સત્ય તે પ્રકાશ છે અને અસત્ય એ અંધારું છે. સત્યના પ્રકાશમાં જે વસ્તુ જેવી હોય તેવી સ્પષ્ટ દેખાય છે અને અસત્યના અંધકારમાં ઘણાં ફંફાં મારીએ તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy