________________
છત્રીશી: ૨૮-૩૧
૧૧૩
કરવાથી પેટમાં જાય છે. કેટલાંક કાર્યો તો એવાં હોય છે કે તે કાર્યો અંગે લાગેલ પરમાણુઓ પેટમાં જાય તો અચૂક નુકસાન કરે છે – ચૂંક લાવે છે. સ્વચ્છ થઈને ભોજન કરવાથી ભોજન પણ પ્રસન્નપણે થાય છે. પ્રસન્નતાપૂર્વક કરેલું ભોજન પરિણામે મનમાં પણ પ્રસન્નતા ઉત્પન્ન કરે છે.
[૨૨-૨૩] અનાજને વખાણીને કે વખોડીને ખાવું નહિ – જમતી વખતે ઘણાને ખાવાની ચીજને વખાણવાની બહુ આદત હોય છે. એથી સ્વાદેન્દ્રિય બહુ ઉત્તેજિત થાય છે. રસનાનો જય મેળવીને ભોજન કરવાનું હોય છે તેને બદલે વખાણીને ખાનારને કેટલીક વખત “વખાણી ખીચડી દાંતે ચોટી” જેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. મિષ્ટાન્ન શું સરસ છે! શાક કેવાં મજાનાં કર્યાં છે! ભાતકઢી તો દાઢમાં રહી જાય એવાં છે – એ પ્રમાણે ખાવાના પદાર્થોને વખાણ્યા કરનાર ઉત્તમ કોટિનો ગણાતો નથી.
અનાજને વખાણીને ન ખાવું એ પ્રમાણે અનાજને વખોડીને પણ ખાવું નહિ. અનાજને વખોડીને ખાનારને ખાવું તો તે જ પડે છે. પરિણામે ખાવાની મીઠાશ મારી જાય છે. કેટલાકને ગમે તેવી સારી વાનગીઓ હોય – જેમાં કાંઈ પણ ખોડ કાઢવા જેવું ન હોય છતાં તેઓ તેને વખોડવાના. કાં તો મીઠું વધારે છે એમ કહેશે, નહિ તો કહેશે કે મીઠું ઓછું છે, – આમ એમની. ટેવ જ હોય છે. તેઓની બાજુમાં બેઠેલાને પણ તેથી કંટાળો ઊપજે છે. અનાજની નિન્દા કરનારને અનાજના પણ સાંસા ભોગવવાનો સમય આવે છે. એટલે ખાતી વખતે સમતુલા રાખીને ખાવું જોઈએ. ખાવાની ચીજને વખાણવી કે વખોડવી નહિ, સારી-મીઠી કરીને ખાવી. વસ્તુને સારી કરીને ખાવી અને વખાણ કરીને ખાવી એ બે જુદી વાત છે. વસ્તુને સારી કરીને કેમ ખવાય એ હકીકત નીચેની એક વાત દ્વારા બરાબર સમજી શકાય છે.
એક ભાઈ હતા. તેમને એ ટેવ હતી કે તે વસ્તુને સારી કરીને ખાતા હતા. બીજા એક હતા કે તે વસ્તુને ખરાબ કરીને ખાતા હતા. બન્ને બાજુ બાજુમાં રહે. એક વખત બન્ને જણા એક વેપારીને ત્યાંથી સોપારી ખરીદી લાવ્યા. પચાસ સોપારી આવી હતી. જમીને સોપારી ખાવાની બન્નેને ટેવ. પેલા ભાઈ કે જેને વસ્તુને સારી કરીને ખાવાની આદત હતી તે ભાઈ જમ્યા પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org