________________
છત્રીશી : ૨૮-૩૧
૧૦૯.
ફરી ખાવાની ખાતર પાચક દવાઓ ખાય છે ને ખાધેલું પચાવે છે પણ તેથી એકંદર ગેરલાભ જ થાય છે. પરાણે પચાવેલું પુષ્ટિ આપતું નથી. ખાવાને માટે શરીર અને દવા નથી પણ શરીરને માટે ખાવાનું કે દવા લેવાની હોય છે. અજીર્ણ હોય ત્યારે પેટ ના પાડતું હોય છે, એટલે જીભ અને તેને વશ થયેલા મનને ખાતી વખતે ન પૂછવું પણ પેટને પૂછવું. જો પેટ માગે તો આપવું; નહિ તો છોડી દેવું. છોડી દેવાથી નુકસાન નથી પણ ખાવાથી ચીજ નકામી જાય છે ને શરીરને નુકસાન થાય છે. એટલે અજીર્ણ હોય ત્યારે ન જમવું.
[૧૩] ખુલ્લામાં જમવું નહિ – ખુલ્લામાં જમવાથી ભોજનમાં અનેક નુકસાનકારક ચીજો આવી પડવાનો સંભવ છે. કોઈની દૃષ્ટિ પણ અદષ્ટપણે પડે તો તેથી પણ હાનિ થાય છે. જીવજંતુઓ પણ ખુલ્લામાં આવી પડે છે. આકાશમાં ઊડતાં પક્ષીઓના મુખમાંથી ગમે તેવાં નુકસાનકારક તત્ત્વો ભોજનમાં પડે છે કે જેનો ખ્યાલ ન રહ્યો હોય તો પ્રાણ જવાનો પ્રસંગ પણ બની જાય છે. ખુલ્લામાં ખાવું નહિ અને ખાવાની ચીજો પણ ખુલ્લામાં ખુલ્લી રાખવી નહિ. ચંદરવો બાંધીને તેની નીચે રાખવી. એક કથામાં આવે છે કે એક પરદેશી કાપડિયા મુસાફરે એક ભોળી ભરવાડણની છાશ પીધી, ને એક દયાળુ શેઠે પૈસા આપીને તે પિવડાવી. છાશ પીધા પછી તરત જ મુસાફરી મરણ પામ્યો. બધાની દાનત શુદ્ધ હતી છતાં આમ કેમ બન્યું – એના વિચારમાં બધાં પડી ગયાં. પણ ખરેખર એમ બન્યું હતું કે જેમાં છાશ હતી તે વાસણ ખુલ્લું થઈ ગયું હતું અને એક સમળી એક ઝેરી સાપને લઈને આકાશમાં ચાલી જતી હતી. સાપના મોઢામાંથી ગરલ ટપકતું હતું તે છાશમાં પડ્યું અને તેથી મુસાફરનું મરણ થયું. આ પ્રમાણે ખુલ્લામાં ખાવાથી અનેક આપત્તિઓ આવી પડે છે. આકાશમાં સંચરતા દુષ્ટ દેવોની દૃષ્ટિ પડે તો તેથી પણ અનેક અનર્થો જન્મે છે.
[૧૪] બે જણાએ ભેળા જમવું નહિ – બે જણ ભેળા બેસી જમે તો તેથી એકબીજાનું એઠું ભેળું થાય છે. તેમાં જીવોત્પત્તિ થાય છે. એક જ ભાજનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org