________________
૧૦૬
હિતશિક્ષા
[૬] વિદિશાએ-ખૂણા તરફ બેસીને જમવું નહિ – ઘરમાં જ્યાં જ્યાં ખૂણા હોય છે ત્યાં મોટે ભાગે અંધારું અને અસ્વચ્છતા રહે છે, એટલે ખૂણા તરફ કે ખૂણામાં બેસીને ખાવાથી કોઈ જીવ-જંત કે કચરો ભોજનમાં આવી જવાનો પૂરો સંભવ છે. ખૂણે બેસીને ખાનારમાં તુચ્છતા – કૃપણતા આદિ ભરાઈ જાય છે. ખૂણે બેસી ખાવું એ અપલક્ષણ છે. કોઈ જોઈ ન જાય એવી વૃત્તિ ખૂણે બેસી ખાનારની હોય છે ને તે ઈષ્ટ નથી.
- દક્ષિણ સન્મુખ ખાવું નહિ – દક્ષિણ દિશાનો સ્વામી યમ છે. એ દિશા ઉત્તમ દિશા ગણાતી નથી. ભોજનનું કાર્ય ઉત્તમ છે. ઉત્તમ કાર્ય કરતી વખતે ઉત્તમ દિશા સામે હોય તો તે ઉત્તમ થાય. મંત્ર-સાધનામાં તો આહાર-વિહારપ્રશ્રવણ-શયન વગેરે ચોક્કસ દિશામાં કરવાનું વિધાન હોય છે. દક્ષિણ દિશા સામે ખાનાર અને સૂનાર મરતો નથી તો માંદો તો જરૂર પડે છે, એવી લોકમાન્યતા છે.
[૮] અંધારે જમવું નહિ – અંધારે જમવાથી નાનાં જીવ-જંતુઓ ભોજનમાં આવી જાય તો તેની ખબર પડતી નથી, તેથી તે જીવોનો નાશ થાય છે અને ખાનારને પાપ બંધાય છે. તેમ જ આરોગ્યને પણ નુકસાન પહોંચે છે. અંધારે ખાવાથી રાત્રિભોજનનો દોષ લાગે છે. એક ભાઈની વાત બનેલી છે. તેમને મુરબ્બો છૂંદો વગેરે અતિ ખાવાની આદત, મોટી ઉંમર છતાં ઘરમાં બેસીને બરણીમાંથી કાઢીને એમ ને એમ ઉતાવળે ઉતાવળે ખાય – અજવાળામાં લાવીને તપાસીને ખાવાની ધીરજ રાખી શકે નહિ. એવી મીઠી ચીજો ઉપર કીડીઓ હોવાની પૂરી સંભાવના છે. બન્યું પણ એવું કે એ આદતને લઈને તેમની મતિમાં મંદતા-શૂન્યતા આવવા લાગી. છેવટે મતિશૂન્ય સ્થિતિમાં તેમનું જીવન ચાલ્યું ગયું. એવા અનેક દોષો-વ્યાધિઓ અંધારે ખાવાથી આવી પડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org