________________
છત્રીશી: ૨૪
૯૩
કરીને ખાય છે.
આમ પાકકળાની જેવી અનેક કળાઓ અને ક્રિયાઓ ગૃહસ્થાશ્રમમાં જરૂરી છે. એ સર્વ કળા-હુન્નરો સાથે એક પરમાવશ્યક કળા છે તેનું નામ ધર્મકળા છે. ધર્મકળા વગરની બીજી અનેક કળાઓ કદાચ ઓછી આવડતી હોય પણ ધર્મકળા આવડતી હોય તો જીવનમાં કાંઈ પણ ખામી આવતી નથી. માટે કહ્યું છે કે “સવા કલા ધમ્મકલા જિણાઈ સર્વકળાઓને ધર્મકળા જીતે છે. જેને ધર્મકળા આવડે છે તેને બીજી કળાઓ સહજ પ્રાપ્ત થાય છે. “હુન્નર સહુ શીખીજે જી', એ પ્રમાણે કહીને કવિએ ધર્મકળાનું પણ ગર્ભિત સૂચન કર્યું છે.
સ્નાન સુવચ્ચે રસોઈ કરવી – સ્ત્રીજીવનમાં આર્યાવર્તમાં મુખ્ય જવાબદારી રસોઈની છે. રસોઈ કરવાની રીત સ્વચ્છ હોવી જોઈએ. કેટલીક સ્ત્રીઓ કપડાં ખરાબ થવાની બીકે મેલાંઘેલાં કપડાં પહેરે છે અને વાતાવરણને ગંદું રાખે છે, તે ઘણું અયોગ્ય છે. એ મેલા વાતાવરણના મલિન અણુઓ ભોજનની સાથે ભળીને પેટ તથા મનને મલિન કરે છે. પેટ અને મનને ભોગે વસ્ત્ર આદિ સાચવવાની મનોવૃત્તિ સત્વર ત્યાગ કરવા જેવી છે. તેમાં પણ બાળબચ્ચાંવાળી સ્ત્રી મન અને જીવનમાં સ્કૂર્તિને અભાવે રસોઈઘરની આસપાસનાં બાળકોથી મલિન થયેલા વાતાવરણને નભાવી લે છે; એ એને સદી ગયું હોય છે. એ કેટલું બેહૂદું છે! સૂગ ન હોવી એ જુદી વસ્તુ છે; અને સ્વચ્છ ન રહેવું એ જુદી વસ્તુ છે.
સ્વચ્છતાની આળસને લઈને મલિનતા પ્રત્યેની સૂગ દૂર થઈ હોય તો તે જરી પણ ઇચ્છવા યોગ્ય નથી. સ્નાનથી શરીર સ્વચ્છ કરી, સારાં વસ્ત્રો પહેરી રસોઈ કરીને ભોજન કરાવતી રમણી ખરેખર ઘડીભર સંસારના તાપને પણ ભૂલાવી દે છે. સંસારની રસિકતા વધારવા માટે આ શિખામણ નથી, આ શિખામણ તો સંસારની જો સુઘડતા હશે તો આગળ પણ સુઘડતા આવશે એ માટે છે. સ્નાન અને સ્વચ્છ વસ્ત્રોથી રસોઈ કરતાં એક બીજો લાભ એ છે કે તેથી કીડી-મંકોડી આદિ જીવોની જયણા પાળવાની વૃત્તિ રહે છે. મલિન વાતાવરણમાં એ વૃત્તિ ભૂંસાઈ જવાનો પૂરો ભય છે. એટલે આ શિખામણ ઉચિત રીતે જીવનમાં ઉતારવા જેવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org