SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈઓએ પિતાપિતાના વિભાગમાં આ કોનફરન્સની શાખા તરીકે પ્રાંતિક કોનફરન્સો સ્થાપિ કામ કરવામાં જોકે હરકત નથી પણ લક્ષતો આ કોનફરન્સના હેતુઓ બર લાવવા સાથે આ કોનફરન્સને દરેક મદદ આપવાથી કદી પછાત પડવું જોઈતું નથી. પ્રથમ તો કોમનું શક્ય સાધવાને માટે જ સર્વને ઉદ્દેશ હવે જોઈએ અને એ ઉદેશ આ કેનફરન્સથી પાર પાડી શકાય તેવો છે. ડાહ્યા જૈનોને આ બાબતમાં આટલે જ ઇસારે કરવો બસ થશે, પસાર થએલી કોનફરન્સને ફતેહમંદી સાથે પાર ઉતારવા વડોદરાના જૈન સંઘે લીધેલી મહેનત તેમને ધન્યવાદ આપવા જેવી છે. તેવી જ રીતે જૈનકોમના ડેલીગેટોએ જે સંખ્યામાં હાજરી આપી હતી તે પણ પ્રશંસા પાત્ર હતી. આ અંગે અમે એકજ સૂચના કરવા માગીએ છીએ અને તે સૂચના સંબંધમાં કોનફરન્સ ઠરાવ પણ કર્યા છે. તે એ છે કે જમાનાના પવન પ્રમાણે સભાએ, સમાજે વીગેરે મેળવવાને અમુક મંડળ કે કેમ દેખાદેખી અનુકરણ કરવા લાગી છે એ જો કે ખુશીની વાત છે, છતાં આપણે એવી સ્થિતિમાં છઈએ કે વાતો કરવા કરતાં કાંઈક સંગીન કામ નહીં કરીએ તો આપણી ઉલટી હાનીજ થશે, માટેજ કોનફરન્સ કરેલા ઠરાવો અમલમાં મુકવાની યેજના કરવા કોનફરન્સ કરેલા ઠરાવને અમે ઘણી અગત્ય આપીએ છીએ અને એ ઠરાવ તેના અક્ષરે અક્ષરમાં અમલમાં મુકાયેલ જેવાની દરેક જૈન હિતેચ્છને ભલામણ કરીએ છીએ, અને આમ કરવા સારૂ ગામે ગામના જૈન સંઘના આગેવાને એ કોનફરન્સના રૂડા કામોને અમલમાં મુકી કેમ તરફની કાળજી પુરવાર કરવી જોઈએ છીએ. ભાષણે એતો માત્ર એવા રીત રીવાજોનાં સ્વરૂપ તથાતેને દુર કરવાની દલીલો દર્શાવનારાજ છે, અને એ સાંભળ્યા પછી તેનું મનન કરી તેને વહેવાર રૂપમાં મુકવાથી જ હરકોઈ કોમને ફાયદો કરી શકે છે. એ ભુલવું નથી જોઈતું. કેટલાક નઠારા સંસારીક રીતરીવાજે જૈન કોમમાં પણ ઘર કરી પડ્યા છે તેમાં સુધારો કરવા માટે દરેક નાતજાત ને તડાંના વડીલોને આગળ કરી તેમની જ સંમતી સાથે શ્રમ લેવામાં આવશે ત્યારે જ તે બુરા રીવાજો નાબુદ થશે. આ રીવાજોમાં રડવા કુટવાને ચાલ હિંદુ લોકોમાં એક ફારસ જે છે તે પહેલો અટકાવવાની જરૂર છે અને તે અટકાવવા માટે સ્ત્રી કે 11 ણીની ખાસ જરૂર છે જે પાછળ કોનફરન્સે પુરતું ધ્યાન આપવાનું છે, તેજ બલકે ! પણ બુરા કેટલાક જેનામાં બીજી કોની માફક કન્યાવિક્રય કરવાનો જાણે ધંધોજ ૧ , ધે છે તેને અટકાવવાની પણ ઓછી જરૂર નથી અને તે સારૂ ધંધા ઉદ્યોગની ગરીબ જનને જોગવાઈ કરી આપવાની આવશ્યકતા છે. ગુજરાતના કાઠીયાવાડ પ્રાંતમાં આ રીવાજ કાંઈક વધુ જેવામાં આવે છે ને તેનું મુળ ગરીબ હાલતમાંજ છે તે ગરીબાઈ દુર કરવા કેળવણી અને ધંધા ઉપયોગની જોગવાઈ કરી આપવાથી અટકી શકશે ને તે જરૂર પણ કોનફરન્સ સ્વીકારી છે. હદ ઉપરાંતના નાતવર કે લગ્ન પ્રસંગની ધામધુમ પાછળ ખર્ચાતા પૈસામાં નિયમ બાંધવામાં આવે તો કોમની ગરીબાઈ અટકાવવા સહેલાઈથી મદદ કરી શકાય તેવું કંડ થઈ શકે તેમ છે. છેવટે અમે જૈનભાઈઓની ઉતરોત્તર આ કામમાં ફત્તેહ ઈચ્છીએ છીએ અને વડોદરાની કોનફરન્સ ફતેહમંદ ઉતારવા ત્યાંના સંઘે તથા કોનફરન્સના લાગતાવળગતાઓએ જે શ્રમ લીધો છે તેને માટે તેમને ધન્યવાદ આપી તેવાજ ઉત્સાહથી ભવિષ્યમાં કામ લેવાની તમામ જૈનભાઈઓને ભલામણ કરીએ છીએ, કારણ કે હિંદુ કેમરૂપ વૃક્ષની જૈનો માત્ર એક શાખા છે તેથી એ શાખામાં સુધારો થવાથી વૃક્ષની વૃદ્ધિ થવા સાથે બીજી શાખાઓ પણ પોષણ મેળવતી થશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005585
Book TitleTriji Jain Shwetambar Conferenceno Report
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherReception Committee
Publication Year1906
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy