SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૪) પિતાની રઇયતને આગળ પાડવા કેટલું કરે છે તે આ ઉપરથી જોવાનું છે અને જ્યારે દેશી રાજ્યકર્તાઓ આવી રીતે પિતાની પ્રજાને ઉતેજન આપતા થશે, ત્યારે જ દેશદયના કામમાં સહેલાઈ થવા પામશે. હવે આપણે કોનફરન્સમાં થએલા કામકાજની ટુંક નોંધ લેઈશું તો જણાશે કે તેમાં બધા મળીને ૧૮ સવાલો રજુ થયા હતા જે સવાલો અમે ગયા માસની તા. ૩ જીના અંકમાં આપી ગયા છીએ, તેથી તેની આ સ્થળે આવૃત્તિ કરવાની જરૂર નથી પણ એ સઘળા સવાલમાં ક્યા ક્યા સુધારા હાથ ધરવામાં આવ્યા છે તે તપાસવું આવશ્યક છે. પહેલા જ સવાલમાં કેળવણીને ઉતેજન આપી તેને માટે બોર્ડ સ્થાપવામાં આવ્યું છે. બીજી જરૂરીયાત જૈન બાળકો માટેનાં પુસ્તકે સારૂ કમિટી તથા પ્રાચીન પુસ્તકોદ્ધાર કરવાના ઠરાવો થયા છે. જૈન ચૈત્યોદ્ધાર તથા પ્રાચીન શોધખોળનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ધર્માદાખાતાનાં હિસાબની ચોખવટ, તથા તપાસણી, આ ઠરાવોથી જૈન કોમમાં સામાન્ય તથા ધાર્મિક કેળવણીનો ફેલાવો કરવાની જરૂરીયાત કોનફરન્સે સ્વીકારી છે, એ ખુશી થવા જેવું છે. કેમકે ધર્મનીતિની કેળવણીને માટે આજે સઘળી કોમે બુમ પાડે છે, કેમકે એવી કેળવણી ન મળી શકવાથી તથા ઈગ્રેજી ભાષાના એક્લા અભ્યાસથી અન્ય પરદેશી ધર્મવાળાઓ ઘણું ફાવી જવા લાગ્યા છે તેને અટકાવવા માટે તથા કામનાં બાળકો દ્વારા ધર્મની રક્ષા કરવા બીજી કોમની માફક જનકોએ પણ આ પગલું સમયોચિતજ ભરેલું છે. સામાજીક સુધારણા કરવા તરફ જૈન કોનફરન્સ આપેલું ધ્યાન બેશક ધન્યવાદને પાત્ર છે, કામમાં ચાલતા હાનીકારક રીવાજો દુર કરવા ઠરાવ પસાર થયો છે તેની સાથે નિરાશ્રીત જૈનોને મદદ આપવાના તથા કોમમાં ઐક્ય વધારી કેમનું કલ્યાણ કેવી રીતે થાય તેવા માર્ગ લેવાના પણ ઠરાવો કરવામાં આવ્યા છે, વળી આ ઠરાવને કાગળ ઉપરજ નહીં રહેવા દેતાં તેને અમલમાં મુકવાની યોજનાને લગતો ઠરાવ પણ થયો છે. જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત જે જીવદયા તે વિષે પણ ઠરાવ કરવામાં આવ્યો છે. વળી ઉત્તેજનની ખાતર જે ગામ કે શહેરના જેનોએ બીજી કોનફરન્સના ઠરાવો અમલમાં મુક્યા છે તેઓને ધન્યવાદ આપવાનો ઠરાવ કરી કેનફરન્સે ઉત્સાહીઓને ઉત્સા હ વધે તેવો રસ્તો લીધું છે. જેનોને લગતી તમામ માહિતી મેળવી શકાય તેવી એક જૈન ડાયરેકટરી બનાવવાનો ઠરાવ થયો છે. ત્યાર બાદ ના. શહેનશાહ અને શહેનશાહબાન તરફની વફાદારી દર્શાવનારો તથા આ કોનફરન્સના ઠરાવોને અમલમાં મુકવા જે મુનિમહારાજેએ શ્રમ લીધે હોય તેમને ધન્યવાદ આપવાનો તથા કોનફરન્સના જનરલ સેક્રેટરી શેઠ ફકીરભાઈના મરણને શેક દર્શાવનારો ઠરાવ અમલમાં મુકાયા હતા, ને ગયા વર્ષની કનકરન્સના ઠરાવોને બહાલી આપી આ કોનફરન્સનું કામ ફતેહમંદી સાથે પુરૂ કરવામાં આવ્યું હતું. પસાર થએલી કોનફરન્સમાં જુદા જુદા વકતાઓએ આપેલાં ભાષણો જૈનોની પિતાની કમને આગળ વધારવાની ઉલટ કેવી છે તે દેખાડનારાં હતાં. આ કોનફરન્સમાં એક નવી વાત સાંભળવામાં આવી હતી તે એવી છે કે ખાનદેશમાં પ્રાંતિક જૈન કોનફરન્સ ત્યાંના આગેવાનોએ ભરવાની યોજના કરી છેબેશક આ પગલું વધુ ઉત્તેજનને પાત્ર છે. પણ જે એવી પ્રાંતિક કોનફરન્સો આ મહાન કોનફરન્સના તાબામાં રહીને કામ કરશે તોજ તેનાથી સારું પરિણામ આવશે. પણ જે એવી પ્રાંતિક કોનફરન્સી વખત જતાં મળવા લાગશે અને સ્વતંત્ર રીતે રહી કામ કરવા માંડશે તો તેમાંથી બીજા નવા નવા ફણગા ફુટશે જે આ કોનફરન્સના હેતુની વચ્ચે આવી પડે તે અમોને ભય લાગે છે માટે જ સમજુ જૈન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005585
Book TitleTriji Jain Shwetambar Conferenceno Report
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherReception Committee
Publication Year1906
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy