________________
( ૧૨ ) બજાવવાનો આ સમય છે, મહાવિર સ્વામિને જૈન ધર્મ સ્થાપતાં પડેલી મહેનત અને નડેલી મુશ્કેલીઓ આગળ આજના જૈન સુધારકોની જે હિંમત વિસાત વિનાની ગણાશે. એટલા માટે સંસાર સુધારાના જે ઠરાવે આ જૈન મંડળોમાં કરવામાં આવે છે તે જ્યાં સુધી કાગળ ઉપર નોધાઇને અભડાઈ ઉપર ધુળ ખાતા પડે ત્યાંસુધી મહારાજા ગાયકવાડે આપેલી સોનાના મુળની શિખામણની કીમત બેબદામની પણ અંકાવાની નથી. જે આપણું જૈન બંધુઓએ પિતાનાં ધનનો સદઉપયોગ કરવો જ હોય તો તેઓએ બીજાં અગત્યનાં કામો જોડે સંસાર સુધારાનાં કામોના પોતેજ કરેલા ઠરાવોને અમલમાં મુકવા જોઈએ, કુચાલોને તેડવા જેઇએ, અને કોન્ફરન્સ ભરવાના સુધરેલાં પગલાંને સફળ કરવું જોઈએ.
જન વેતાબરની ત્રીજી કાન્ફરન્સનો મહાન મેલાવડે વડોદરામાં મલ્યો હતે. આ સમાજે ધર્મને છાજતા તથા વહેવારીક ઠરાવોકરી જે કામ બજાવેલું છે, તે માન્ય ભરેલું લખાયેલું છે. પ્રમુખ રાય બહાદુર બુદ્ધિસીંગના પ્રમુખ પણ નીચે થયેલા કામકાજને ચતાર બહુ પ્રિય થઈ પડેલો હોવો જોઈએ. આ મહાન મંડળમાં વિવિધ પોષાકના, વિવિધ ભાષા બેલનારા અને વિવિધ વિચારના પ્રતિનિધિએ હાજરી આપી હતી, તે એ સમાજના ભવ્ય દેખાવનું એક ચીન્હ કતું. સમાજ તરફથી જે જે ખાતાં સ્થપાયા છે, તેને સારી સ્થિતિમાં લાવવાને શ્રમ તથા નાણાની અગત્ય છે એ બે વસ્તુઓને પુરી પાડવામાં મંડળના સુકાનિયાએ જે સહાસ ઉઠાવો છે તે ભવિષ્યમાં ફલદાયક નીવડ્યા શિવાય રહેશે નહિ. જૈન સંપ્રદાયમાં વિદ્વાન વર્ગ હસ્તી ધરાવે છે. તેમ એમાં ઘણું લક્ષ્મી પુત્ર પણ છે તેઓની ઉદારતા ભરેલી મહેનત અને સખી હાથને લઈને આ મંડલનું કામ મંગલકારી નીવડ્યા શિવાય રહેશે નહિ. બહુ સંતોષની વાત છે કે, આ મંડલમાં રાય બહાદુર બદ્રીદાસ, રાય બહાદુર બુદ્ધિસંગ અને શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ. જેવા વૃદ્ધ ગૃહસ્થો આગળ પડતો ભાગ લઈ જે શ્રમ લે છે, તે આ કોન્ફરન્સને વિશેષ ભાગ્યશાળી બનાવવાનું પ્રયોજન સચવાય છે. આ કાન્ફરન્સને જન્મ આપનાર જયપુર રાજ્યના જાણીતા માજીસ્ટ્રેટ મિ. ગુલાબચંદ ઢઢાને ધન્યવાદ આપતાં અમોને સંતોષ ઉપજે છે. તેમણે જે આ પવિત્ર બીજ વાવ્યું હતું, તેના રૂડા ફળને લાભ લેવાનો પ્રસંગ જૈન ભાઈઓને ભલતો જાય છે, એ સંતેષ કંઇ એ છે મનાશે નહિ. વડોદરા નરેસે આ સમાજને જે જોઈતી મદદ આપી છે અને એ નામદારે સમાજના મંદીરમાં પધારી જે ભાષણ કર્યું હતું, તે મેં એક રૂડા રાજ્યપતિને શોભા આપનારૂ મનાશે. અમે આ સમાજને જય ચહાઈએ છીએ.
-
ગુજરાત મિત્ર તથા ગુજરાત દર્પણ.
સુરત તારીખ ૪ થી ડીસેમબર સને ૧૮૦૪. ત્રીજી જૈન શ્વેતાંબર કાનફરન્સ,
-
વાર્ષીક જેન કાનફરન્સનું કામ વડોદરા જેવા ગુજરાતનાં છત્રપત્રી રાજ્યમાં સરજામ ઉતર્યું છે. ગયે વર્ષ એ કાનફરન્સ મુબઈમાં ભરાઈ હતી; છેલ્લી કાનફરન્સને વડોદરાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org