________________
( ૪૨૦) પરિવાર વિજયાનંદને ઉપકારી સર્વ સમાજનો વસ્મત્તને વટથી બન્યો છે. વિજય જૈન સમાજને, ગાયા ગિરાથી ગુર્જરો હિંદી વઘા ઊત્કર્ષથી, સિરાષ્ટ્ર વિરે સુસ્વરે ઉચ્ચાર કરતા હર્ષથી; મરૂવીર ઢ વાણીનો નવરંગ જામ્યો આજન, વટપત્તને વટથી બને છે વિજય જૈન સમાજને, સત્કાર કીધે સ્નેહથી વટપત્તને શ્રાવક જને, સાધમી સેવા આચરી અતિરંગથી ઉજવલ મને; ડંકો બજા દેશમાં કરી ચકિત સર્વ સભાજનો, વટપત્તને વટથી બન્યો છે વિજય જૈન સમાજનો. . ઘડી નિયમ નિર્મલ ઉદય કી જૈનને બહુ સંમતે, સંસારિ ઘાર્મિક ઉન્નતિ કરવા મથે શુભ સંગતે; તે નિયમથી સહુ વર્તજ જિન ભક્ત ભારતના જને, વટપત્તને વટથી બન્યો છે વિજ્ય જૈન સમાજનો. મહનીય મંગલ રૂ૫ શાસન દેવતા જય આપજે, જયવંત જૈન સમાજ કેરા વિગ્ન સર્વે કાજે; અણહિલપાટણમાં થજો અતિ વિજ્ય જૈન સમાજને, વટપત્તને વટથી બન્યો છેવિજય જૈન સમાજને.
- : , જૈન.
અમદાવાદ તા.૪ ૧૨-૦૪. વડોદરા ખાતે ત્રીજી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની ફત્તેહ.
જૈન સાસનને વિજય. ગુજરાતના વીરક્ષેત્ર શહેર વડોદરા ખાતે ગયા મહીનાની તા. ૨૭-૨૮-૨૯મી તારીખોએ મળેલી ત્રીજી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનો હેવાલ અને અન્ય સ્થળે આપ્યો છે તે ધ્યાન પૂર્વક વાંચવાની અમારા જૈન બંધુઓને ભલામણ કરીએ છીએ. તેમાં થયેલા ઠરાવો તથા અપાયેલાં ભાષણો પૈકી શેઠ લાલભાઈ તથા મી. ગુલાબચંદજી ઢટ્ટાના વિચારશીલ ભાષણે વાંચવાથી હરકોઈ સુજ્ઞ વાંચક તો કોન્ફરન્સની ફતેહ થએલી ગણી જૈન શાસનને વિજયજ થએલો ગણશે. એ અપૂર્વ કેન્ફરન્સમાં સ્વામીભાઈઓની મોટી
* સજજન ગૃહસ્થના સમાજમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org