SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 5 પાપ શુદ્ધિની પ્રક્રિયા SI Jain Education International આ ભવમાં જ્ઞાન - દર્શન - ચારિત્ર સબંધી લાગેલા દોષની આલોચના હવે આ ભવના ધર્મગુરુ, ધર્માચાર્ય, તરણતારણ, અધમઉધ્ધારણ, ભવ દુ:ખભંજન, એકાંત હિતના કરનારા, મને અપરાધીને સન્માર્ગે ચઢાવનાર, મેં તેમની પાસે મૂલગુણ અને ઉત્તરગુણની મર્યાદા કરી છે. તેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર · એ પાંચ આચાર સબંધી જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર આદિ દોષ લાગ્યો હોય કે મૂળગુણ ઉત્તર ગુણની વિરાધના થઈ હોય તો શ્રી અરિહંત, સિધ્ધ, ધર્માચાર્ય, ચતુર્વિધસંઘ, સિધ્ધાન્ત પ્રવચન અને આત્મા એ છ ની સાક્ષીએ આલોઉં છું. 品 (સુચના:- ક્ષેત્રવિશુધ્ધિ કરવી) જ્ઞાનાચારની આલોયણા જ્ઞાનના ચૌદ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. સૂત્રાગમ, અર્થાગમ અને તદુભયાગમ એમ ત્રણ પ્રકારના આગમ ભણતાં ભણાવતાં (૧) સૂત્ર આઘા પાછાં ભણાયા હોય (૨) એકેક પદ નો અનેકવાર ઉચ્ચાર કર્યો હોય (૩) પાઠના અક્ષર ઓછા બોલાયા હોય (૪) અધિક અક્ષર બોલાયા હોય (૫) પદ ઓછા અધિક બોલાયા હોય (૬) વિનય રહિત ભણાયું હોય (૭) મન-વચન-કાયાના હીનજોગથી ભણાયું હોય (૮) ઉદાત્તાદિ ઉચ્ચારો હીન પણે ભણાયા હોય (૯) વિનીત એટલે અધિકારીને ભણાવ્યું ન હોય (૧૦) અવિનીત એટલે અધિકારીને ભણાવ્યું હોય (૧૧) ચાર અકાળે સૂત્રનો સ્વાધ્યાય કર્યો હોય (૧૨) ચારકાળે સૂત્રનો સ્વાધ્યાય કર્યો ન હોય (૧૩) ઔદારિકાદિની અસજઝાયના સ્થાને સ્વાધ્યાય કરી હોય (૧૪) સજઝાયના સ્થાને સ્વાધ્યાય કરી ન હોય એ ચૌદ જ્ઞાનના અતિચારમાંનો કોઈ ૧૪ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005584
Book TitlePaap Shuddhini Prakriya
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Maharaj
PublisherLaghaswami Jain Pustakalay
Publication Year1995
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy